SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ છેવટે તેણે નિર્ણય લઈ લીધો. જેમાં વ્યાપારાદિ કરીને મને કંઈ વિશેષ મળવાનું નથી, તેમ લગ્ન કરીને પણ શું મેળવવું છે ? આ આત્મકલ્યાણ મૂકીને મારે નિરર્થક સમય વેડફી નાંખવો ? અને માતાપિતાને પણ જણાવી દીધું કે એવો કોઈ પ્રયત્ન કરે નહિ. આમ તેની સાધના પૂ. આચાર્યશ્રીના સાન્નિધ્યમાં વેગ પકડતી હતી. એક વાર તેઓ સપરિવાર અને મિત્ર સાથે પૂ. આચાર્યશ્રીનાં દર્શનાર્થે ગયા હતા, તે દિવસોમાં પૂ.શ્રીનો જન્મદિન હતો, આ બંને મિત્રોને ફુરણા થઈ કે આપણે પૂ.શ્રીને શું આપી શકીએ ? અંતરથી અવાજ આવ્યો... આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈને ભેટ ધરીએ' આ સબળ વિચારનો પ્રવાહ તેમની આજુબાજુ ફેલાઈ ગયો અને માતા-પિતા તથા અન્ય સ્વજનો પણ આ ભાવનાના ભાગીદાર અને ભાગ્યવાન બન્યાં. ત્યાર પછી તેણે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. આ પ્રકારે તેમની અંતર્મુખ સાધના થતી હતી ત્યાં ઈડરમાં શ્રી યોગેશભાઈનો પરિચય થયો. તેમની સાથે પણ થોડો સમય સંપર્ક રહ્યો. બીજા અન્ય સંયોગોનો વિચાર કરી મુંબઈનું સર્વ કાર્ય સમેટી પૂરું કુટુંબ અમદાવાદ આવીને વસ્યું છે. સૌની ભાવના એકંદરે સમાન હોવાથી નિવાસે રહીને પરિમલ દઢપણે સાધના કરે છે. શ્રદ્ધા અને ચારિત્ર્યબળ કેળવી રહ્યો છે. વળી સમયોચિત નિવૃત્તિમાં પણ રહે છે. સમ્યગુદર્શન માટેની તેની સમજ અને ભાવના પ્રેરણાદાયી છે. તે વારંવાર કહે છે કે જીવ આ સાધન વગર રખડ્યો છે. પૂર્વે આત્મા જ ભૂલીને પરિભ્રમણ કર્યું છે. દેહના સુખની મુખ્યતાથી આજે પણ ભૂલ કરી રહ્યો છે. જ્યાં સુધી આત્મજ્ઞાન નહિ પામે ત્યાં સુધી તેનું પરિભ્રમણ ચાલુ રહેવાનું છે. આ જન્મમાં મળેલી વિચારશક્તિને જો સ્વ તરફ વાળે તો ત્યાંથી જ્ઞાન પ્રગટ થવાનું છે. ક્યાંય લેવા જવાનું નથી. કોઈ વાર તે કહેતો : શરીરે ક્યારેય સુખ આપ્યું નથી પણ શાતાના ઉદયમાં સુખ માની બેઠો છે, તે મૂર્ખ છે. જ્ઞાનીઓએ સુખની ચાવી, વૈરાગ્યથી આપી છે. જ્યારે મૂર્ખ માનવ સુખને ધન, સ્ત્રી, દેહાદિમાં શોધે છે. તારે સુખ માટે ક્યાંય જવાનું નથી. સુખ તારી અંદર પડ્યું છે. તેણે શ્રીમદ્જીનાં વચનામૃત તથા અન્ય શાસ્ત્રોનો સારો અભ્યાસ કર્યો છે. આથી તેનો ક્ષયોપશમ પણ છે. સાથે સર્વજ્ઞ વીતરાગના માર્ગની દઢ શ્રદ્ધા છે. એટલે માર્ગનો બોધ ગ્રહણ કરી આત્મકલ્યાણની કેડીએ વિભાગ-૧૧ ૩૦૮ મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy