SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સત્સંગીઓ હવે અંતરથી અને બહારથી સંસારના કાર્યોને ગૌણ કરી અંતરંગ પ્રેરણામાં વૃદ્ધિ કરતા જાય છે. તે તાદશ્ય થતું જણાય જન્મ, જરા, મરણ, શોક દેહાદિના ધર્મો છે. જયારે તેવી આપત્તિ આવી પડે ત્યારે સૌની પાસે સત્સંગની ઢાલ છે તે અનુભવાય છે. વચમાં આપણે મનોરમાબહેન દક્ષાબહેન વિગેરેના પ્રસંગો પણ જો યા. પલ્લવીબહેનની યુવાન દિકરી પૂર્વીના મૃત્યુના ઘાને શમાવી પાલીતાણા પ્રભુભક્તિમાં પહોંચી ગયા હતા ને આવા કેટલાના ગુણ ગાઉં? આ પુસ્તકના પ્રકાશનનો આદર-પ્રેમપૂર્વક સેવાભાવથી શ્રમ કરનાર જ્યોતિ-પરાગભાઈનો બાવીસ વર્ષનો યુવાન સુપુત્ર મલ્હાર ચિર વિદાય થયો. એ દુઃખદ સમાચારથી પરિચિત સૌને આઘાત લાગ્યો તો પછી જે સ્નેહના ધાગે બંધાયા છે તેવાં સંસારમાં આવા સમયે કોને દુઃખ ન થાય ? પણ આ એક સત્સંગનું પાન સૌને માટે અમૃત બનતું જાય છે. આમ જ આપણે જવાનું છે, તેમ મનમાં રણકો ગુંજે છે અને સૌ સ્વસ્થતાપૂર્વક ઘટનાને સ્વીકારે છે. આત્મ સાધનામાં વિશેષ દઢ બને છે. દુઃખ તો લાગે છે પણ સમાધાન મેળવે છે. ઘણીવાર સત્સંગીઓની આ ઉંચાઈ મને પણ આંતિરક બળ આપે છે. દૂવા કરતા પણ આ પ્રેરકબળ ઘણું ચઢિયાતું છે તેના દર્શન કરી હું તૃપ્ત થાઉં છું. પુસ્તક વિસ્તારના ભયે કલમને ન છૂટકે અટકાવવી પડે છે. કોના પ્રસંગ લખું કે કોના છો ? આ લેખન દરમ્યાન મારી બિમારી તો ઠીક પરંતુ એ પૂરું કરું તે પહેલા કુદરતે કેવા પરચા બતાવ્યા? સપ્ટેમ્બરની ૩ સવારે ખબર આવ્યા વડીલ પદ્માબહેનને પણ કાળે ઉપાડી લીધા. તા. રજીએ તો કહે તમારે ત્યાં સોમવારે રહેવા આવવાની છું. પદ્માબહેન છેલ્લે સુધી ભક્તિભાવથી ભિંજાયેલા અને પ્રસન્ન રહેતા. લાંબા આયુષ્યવાળાને નિરંતર બોધ મળે તે માટે આવું જોવાનું બન્યા કરતું હશે ? ટૂંકમાં અમારા આ સહાધ્યાયીઓ અન્યોન્ય સભાવવાળા અને સાધનામાર્ગમાં પૂરક છે. દેવગુરુકૃપા આ છે. દરેક વર્ગમાંથી હવે કેટલાંક સ્વયં સ્વાધ્યાય-સત્સંગનો અન્યને લાભ આપી પોતાના અભ્યાસનું પુનરાવર્તન કરે છે. અમારાં પદ્માબહેન અરવિંદભાઈ તો વયોવૃદ્ધ છે છતાં અમારા વર્ગમાં ઉલ્લાસથી નિયમિત અભ્યાસ કરે છે. અમારી બધી જ યાત્રાનું નિર્વિને આયોજન થતું તેમાં તેમનો મોટો ફાળો છે. અમારા મારી મંગલયાત્રા ૩૦૫ વિભાગ-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy