SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અભયસ્વરૂપ આત્મપદ છે. તે અભયપદને પ્રાપ્ત કરવા જીવે અવિનાશી તત્ત્વમાં સ્વબળ વડે ડૂબકી મારવી પડશે. તને તેની કળા સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થશે. ભયરૂપી પીંજરામાં પુરાયેલો તારો આત્મા મુક્ત પંખીની જેમ ગગનમાં વિહાર કરે તેમ તું નિર્ભયમાં વિહાર કરીશ. શરીરાદિમાં તું વિશ્વાસ મૂકે છે તે કેવળ મરણના, વૃદ્ધત્વના કે રોગના ભયથી ગ્રસ્ત છે. તું તે સર્વથી ભિન્ન છે તેવી કલ્પના કરવામાં પણ તને શાનો ડર લાગે છે ! અરે નાની સરખી માટીની કાયામાં અભયપદવાળું અવિનાશી તત્ત્વ બિરાજમાન છે. તેમાં તું તારી ચિત્તવૃત્તિઓને સ્થાપિત કર. પછી જો કે તું કેવા નિર્ભયસ્થાનમાં છું ? सर्वेन्द्रियाणि संयम्य, स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति, तत्तत्त्वं परमात्मनः ॥३०॥ ઇન્દ્રિય સર્વનિરોધીને, મન કરીને સ્થિરરૂપ, ક્ષણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ. ૩૦ અર્થ : સર્વે ઇન્દ્રિયોનો સંયમ કરી સ્થિરતા પામેલા મન દ્વારા ક્ષણમાત્ર જોતાં, અનુભવ કરનાર જીવોને તે પરમાત્મસ્વરૂપ તત્ત્વ ભાસ્યમાન થાય છે. પરમાત્મપદની પ્રાપ્તિ તે જેનું અગ્રિમ ધ્યેય છે તેને માટે ભોગસુખની આહુતિ આવશ્યક છે. સર્વથા ત્યાગ કરનાર આ તત્ત્વનો સ્વામી બને છે. સમસ્ત ભૌતિક અવલંબનો પ્રત્યે ઝૂકેલી ઇન્દ્રિયોનો સંયમ કરનાર પરમાર્થમાર્ગનો પથિક બને છે. દીર્ઘકાળના સેવેલા સ્પર્શના આઠ પ્રકારના સુખનો જે ત્યાગ કરે છે. રસના આસ્વાદને જે ત્યજે છે, સુગંધી પદાર્થો પ્રત્યે જેની અરુચિ છે, દશ્ય જગતનાં આકર્ષણ શમ્યાં છે અને ગીતસંગીત પ્રત્યેથી જેની રતિ દૂર થઈ છે. એવો ઈન્દ્રિયો પ્રત્યેનો જેનો સંયમ છે, તે આત્મા સ્થિરતા પામે છે. તેવા સ્થિરભૂત આત્મા વડે અનાદિકાળથી જે જ્ઞાન આવરિત હતું તે ક્ષણમાત્ર શુદ્ધસ્વરૂપને અનુભવે છે, તે જ પરમાત્મસ્વરૂપ છે. સમાધિશતક ( ૮૦ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy