SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપદનો પોતે સ્વામી બને છે. જીવનો ઉપયોગ ચિંતામણિ જેવો છે. તેમાં જેવું ચિંતન રહે છે તેવો જીવને યોગ થાય છે. દેહાદિનું ચિંતન રહે છે તે જીવને એ પ્રકારના દેહ ધારણ થાય છે. પરંતુ એવા સર્વ વિકલ્પની જાળ તોડી જ્યારે તે કેવળ આત્મપદનું ધ્યાન કરે છે ત્યારે સ્વયં આત્મસ્વરૂપે પ્રગટ થાય છે. દેહમાં છતાં નિશ્ચયથી તો ત્યારે પણ પોતે પરમાત્મસ્વરૂપ હતો પરંતુ તેને તેનું ભાન ન હતું. સદ્દગુરુયોગે ભાન થતાં નિજપદનું ધ્યાન કરવાથી પોતે સ્વસ્વરૂપે પ્રગટ થયો. ઇયળને માટીના ઘરમાં મૂક્યા પછી ભમરી વારંવાર તેને ચટકો મારે છે. ઇયળ એ ચટકાથી અને ભમરીના ગુંજારવના નિમિત્તથી સ્વયં ભમરી થઈને ઊડે છે તેમ ભમર-ઇલિકાના ન્યાયે પોતાની રાગાદિરહિત એવી જિનસ્વરૂપ શુદ્ધમતિ થતાં રાગદ્વેષને જીતીને જીવ સ્વયે જિનપદે આરૂઢ થાય છે. मूढात्मा यत्र विश्वस्तस्ततों नान्यद् भयास्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥२९॥ મૂઢ અહીં વિશ્વસ્ત છે, તત્સમ નહિ ભયસ્થાન, જેથી ડરે તેના સમું કોઈ ન નિર્ભય ધામ. ૨૯ અર્થ : મૂઢાત્માને જડ પદાર્થોમાં જે વિશ્વાસ છે તેના જેવું ભયસ્થાન બીજું કોઈ નથી. અને જે સ્વરૂપ છે કે જેનાથી ભય પામ્યો છે, તેવું નિર્ભયસ્થાન અન્યત્ર છે નહિ. અહો ! દિશામૂઢ થયેલા બહિરાત્માની દશા કેવી વિપરીત છે ? જડ પદાર્થમાં મારાપણાની દૃઢ માન્યતા કરી, પણ કોઈ પદાર્થ તે હજી સુધી પોતાના કરી શક્યો નથી. તે તે પદાર્થને પોતાના કરવામાં કેવળ તેણે ચાર ગતિની દુઃખદ યાત્રા જ કરી છે. કારણ કે ભવથી તે ભય પામ્યો નથી. જે દેહ મળ્યો તેમાં એકત્વ, જે જે સ્થાને જે જે સાધનો મળ્યાં તેમાં એકત્વ, એ એકત્વની વાસનાનો વિસ્તાર થયો ત્યારે હાથીપણે પાંચ સો હાથણીનો પતિ થયો ત્યારે અન્ય હાથીને ભગાડી દેતો. ૮૪ આતમ ઝંખે છુટકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy