SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવમાં સુખ પામતો નથી. એવું ભાન થતાં તે શુદ્ધ સ્વભાવને જ ગ્રાહ્ય કરે છે. તત્ત્વના આવા યથાર્થ બોધથી તે સમકિતને પામે છે. પછી તો તે સર્વ પદાર્થોના સંયોગમાં છતાં તેનાથી અલિપ્ત રહે છે. અને જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય દશામાં રહી ઉત્તમ ભાવના વડે નિર્મળ મતિ વડે ભવપાર તરી જાય છે. યોગી નિત્ય અંતર્મુખ હોય છે તેથી તેમની બાહ્ય ચેષ્ટા થતી હોય ત્યારે પણ સદા જાગ્રત હોય છે. શુદ્ધતાનું સર્જન અને અગ્રાહ્યનું વિસર્જન એવો ક્રમ સેવીને તે કાળક્રમે મુક્ત થાય છે. અંતે ગ્રાહ્ય અને અગ્રાહ્ય જેવા કંદોથી પણ તે પર હોય છે. આત્મસ્વરૂપની રમણતા જેમ જેમ વધે છે તેમ તેમ સ્પર્ધાદિ, નામરૂપના ખેલ શમી જાય છે. જ્ઞાન જેનું આવરિત થયેલું છે, તેને તો આ જગત મૃગજળની જેમ સાચું લાગે છે. યોગી સદા તેનાથી દૂર રહે છે, અરે, દેહમાં છતાં જન્મ, જરા અને મરણથી મુક્ત થયો છે. અર્થાત્ પરપદાર્થના નિમિત્તે શુભાશુભ આશ્રવને શુદ્ધાત્મા ગ્રહણ કરતો નથી અને જે સ્વરૂપ છે તેને ક્યારેય છોડતો નથી. ગાઢ આવરણના યોગે પ્રગટ ન થયેલા પણ મૂળ સ્વભાવને છોડતો નથી. જગતના સ્વરૂપને જાણે તેવો સ્વ-પર પ્રકાશી છે તે જગતના સર્વ પ્રપંચથી મુક્ત છે. માનવનું મન એવું છે કે અગ્રાહ્યને ગ્રહણ કરવા ઝંખે છે. અથવા તેણે જે ગ્રહણ કર્યું છે તેનાથી કંટાળી જાય છે. ત્યારે તે સંગ્રહ કરેલાને ત્યજી દેવા મથામણ કરે છે. આમ, માનવમન ગ્રહણ અને ત્યાગની યથાર્થતા સમજ્યા વગર તેનાથી પોતે છૂટો થઈ શકતો નથી. પરંતુ યોગી તો ગ્રહણ અને ત્યાગથી પરદશાને અનુભવે છે. તેમને બહારમાં કંઈ ગ્રહણ કરવું નથી જેથી ત્યાગનો વિકલ્પ કરવો પડે અને જે આત્મદશા ગ્રહણ છે તેનો ત્યાગ થતો નથી. उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितम् । तद्वन्मे चेष्टितं पूर्व, देहादिष्वात्मविभ्रमात् ॥२१॥ સમાધિશતક ૫o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy