SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મભાવનું નિરંતર રક્ષણ કરતો, દોષોથી સદાય જાગ્રત રહે છે. તે સંકલ્પોને વશ નથી, સ્વાધીનતાને સાધી લીધી છે. તેના પરિણામે તે અંતરાત્મા થઈ પરમાત્મા બને છે. યા ભ્રમ મતિ અબ છાંદિદો, દેખો અંતર દષ્ટિ; મોહ દૃષ્ટિ જો છોડીએ, પ્રગટે નિજગુણ સૃષ્ટિ. છંદ-૧૫ હે સુજ્ઞ ! તારી અંતર્ અને બાહ્ય વાચાનો વિરોધ કરીને તું ભગવાનની દિવ્ય વાણીનું શ્રવણ કર જેથી તારી ભ્રમિત થયેલી બાહ્યદૃષ્ટિ છૂટી જાય અને અંતષ્ટિ ખૂલે. મોહથી ગ્રસિત દષ્ટિને છોડી દે તો તારી નિજગુણરૂપ શુદ્ધ દૃષ્ટિ પ્રગટે. હે સુજ્ઞ ! તું વિચાર કર કે બાહ્યદષ્ટિથી તું કેવો ભ્રમમાં પડ્યો હતો ! જે તારું નહોતું તેને તે દીર્ઘકાળથી મારું માન્યું હતું. અને કોઈ જન્મે કોઈ પદાર્થો તારા થયા નહિ તો પણ તું ભાન ભૂલેલો તેને વળગી જ રહ્યો. છતાં સંયોગધર્મવાળા તે તે પદાર્થો તને છોડતા ગયા. તે તેના વિયોગથી રડતો જ રહ્યો અને સ્વસ્વરૂપને ભૂલી ગયો. અનેક પ્રકારની કર્મપ્રવૃત્તિઓથી વીંટળાયેલો તેને જ સ્વસ્વરૂપે માની દીર્ઘકાળ વીતી ગયો. તેમાં અંતષ્ટિને પ્રવેશ ક્યાંથી મળે ? છતાં કોઈ સગુયોગે તારા શ્રવણે જો જિનવાણી પડે તો અંતષ્ટિ જાગે. જેમ કુંભકર્ણને યુદ્ધટાણે ઢોલનગારાં વગાડીને જગાડવામાં આવતો હતો, તેમ બધિર થયેલા તારા આત્માને આવો કોઈ જગાડી દે તો તારી અંતષ્ટિ પ્રગટે. અહો ! આ ભ્રમિત મતિ તો જુઓ ! તેમાં ઊઠતી વૃત્તિરૂપી ન્સિયારાજ્યમાં તું તને સુરક્ષિત માને છે પણ ભાઈ ! એ તારો ભ્રમ છે. પળેપળે ચલિત, કરવટ બદલતી વૃત્તિઓ અને તેમાં પણ ભળેલા અહં, મમત્વ આદિ દોષો તને રક્ષિત કેમ રાખશે ? તે તને તારા આત્મરૂપનું મિલન કેમ કરાવશે ? એ મલિનતા અને આ મિલન સંભવ નથી. ક્યાંક તને રાગ ખેંચે છે, તો વળી ક્યાંક તને દ્વેષ ખેંચે છે. છતાં, તને ભ્રમ થાય છે કે જાણે એ જડ ૪૬ આતમ ઝંખે છુટકારો www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy