________________
૯૫
૯૮
૯૯
તનદૃષ્ટિ સર્વગમી જાગ્રત પણ ન મુકાય; આત્મષ્ટિ ઉન્મત્ત કે નિદ્રિત પણ મુકાય. જેમાં મતિની મગ્નતા, તેની જ થાય પ્રતીત; થાય પ્રતીતિ જેહની, ત્યાં જ થાય મન લીન.
જ્યાં નહિ મતિની મગ્નતા, તેની ન હોય પ્રતીત; જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મન લીન ? ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય; જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. એમ નિરંતર ભાવનું પદ આ વચનાતીત; પમાય જે નિજથી જ ને પુનરાગમન રહિત. ચેતન ભૂતજ હોય તો મુક્ત અયત્ન જ હોય, નહિ તો મુક્તિ યોગથી, યોગીને દુઃખ નોય. સ્વપ્ન દેખ વિનષ્ટ હો પણ જીવનો નહિ નાશ જાગૃતિમાં પણ તેમ છે, ભ્રમ ઉભયત્ર સમાન. અદુઃખભાવિત જ્ઞાન તો દુઃખ આવ્યું ક્ષય થાય; દુઃખ સહિત ભાવે સ્વને યથાશક્તિ મુનિરાય. ઇચ્છાદિજ નિજ યત્નથી વાયુનો સંચાર; તેનાથી તનયંત્ર સૌ વર્તે નિજ વ્યાપાર. જડ નિજમાં તનયંત્રને આરોપી દુઃખી થાય; સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. જાણી સમાધિતંત્ર આ–જ્ઞાનાનંદ-ઉપાય, જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાંય; છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન, જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન.
૧00
૧૦૧
૧0૨.
03
૧૦૪
૧૦૫
સમાધિશતક
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org