SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જેનો સંબંધ કેવલ જ્ઞાનસ્વરૂપે છે, તેથી શરીરથી પણ મુક્ત એવા સિદ્ધ ભગવાન છે. પ્રભુ એવા સામર્થ્યવાળા છે કે ઇન્દ્રાદિને પણ પૂજનીય છે. અવ્યય : સ્વયંભૂ, અવિનાશીપણે સ્વરૂપ – મૂળદશારૂપ પ્રગટ થયું છે. હવે જેને ક્યારે પણ આવરણ થવાનું નથી. જન્મમરણનો તો હવે તેમને લેશ પણ સંયોગ થવાનો નથી. પરમ શુદ્ધપણે પ્રગટ થયેલા અનંત ઐશ્વર્યના સ્વામી પરમાત્મા છે. ચિત્તદોષ આતમભરમ, અંતર આતમ ખેલ; અતિનિર્મલ પરમાત્મા, નહિ કર્મ કો ભેલ. છંદ-૮ અર્થ : આત્મબ્રાંતિરૂપ ચિત્તનો દોષ શમી જે અંતરાત્મપણે રમણ કરે છે, અને જેને હવે કર્મનો સર્વથા ક્ષય થયો છે તે પરમાત્મા છે. ચિત્તદોષ, ચિત્તનો મૂળ દોષ ચંચળતા છે. તેના ચાર પ્રકાર જણાવ્યા છે. તેમાં બે પ્રકાર આત્મભ્રાંતિ પેદા કરે છે. પરંતુ પછીના બે પ્રકારમાં આત્મભ્રાંતિ ટળતાં જીવ અંતર્મુખ થઈ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છે. આત્માનો ગુણવિકાસ ક્રમિક છે. અંતર્મુખ થયેલો આત્મા જ્યારે અત્યંત નિર્મળપણું પ્રાપ્ત કરે છે ત્યારે તેને બાહ્ય કર્મનો જે સંયોગ હતો તે નષ્ટ થઈ પરમાત્મા બને છે. આત્મસ્વરૂપ પ્રગટતાંની સાથે જ રાગાદિ મલિનતા રહેતી નથી, માટે જે હેતુથી આત્મા શુદ્ધ થાય તે જ હિતકારી છે. તે જ તપ છે, તે વિજ્ઞાન છે. જીવ જે હેતુ વડે શુદ્ધ થાય તેવો ઉદ્યમ કરવો. તીર્થકર ભગવાને ભવરોગ મટાડવાના અસંખ્ય માર્ગો કહ્યા છે. તમારી યોગ્યતા પ્રમાણે નિર્ણય કરી ઉપાય કરો. તે જ તપ છે. જન્મમરણનાં અમ્મલિત ચક્રો ગતિમાન રહે છે. તમે કયા ઉપાય વડે બચી શકશો ? જેને એવી વિચારદશા જાગ્રત થઈ છે તે મનુષ્ય છે. જેને સન્માર્ગનો વિચાર નથી તે મનુષ્ય છતાં મૂઢ છે. જીવોને વિશે સમભાવ રાખવો, ચિત્તને વિશે સસ્વરૂપનું ચિંતન કરવું. મનની શુદ્ધિ માટે ભાવનાઓ ભાવવી. મન આત્માની નજીક સમાધિશતક Jain Education International ૨૧ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy