SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જેની ચૈતન્યશક્તિ પરિપૂર્ણ વિકાસ પામે છે તે પરમાત્મા છે. દેહધારી કેવળી ભગવંત અને અશરીરી સિદ્ધ ભગવંત પરમાત્મા છે. આ પ્રમાણે જે જીવ બહિરાત્મપણું ત્યજી અંતરપ્રતીતિ અને તત્ત્વના લક્ષ્ય વડે અંતર્મુખતા સેવે છે તે સ્વાત્માના અનુભવનું સુખ માને છે. બહારના વિષયોને દુઃખનું કારણ જાણી સહજભાવે ત્યજી દે છે તેવો અંતરાત્મા આત્મસ્વભાવમાં લીન થઈ પરમાત્માપણે પ્રગટ થાય છે. નિર્મનઃ હેવનઃ શુદ્દો, વિવિક્તઃ પ્રભુવ્યવઃ । परमेष्ठी परात्मेति, परमात्मेश्वरो जिनः ॥ ६ ॥ નિર્મળ, કેવળ, શુદ્ધ, જિન, પ્રભુ વિવિક્ત, પરાત્મ, ઈશ્વર, પરમેષ્ઠી અને અવ્યય તે પરમાત્મ. સિદ્ધ પરમાત્મા કેવા છે ? શરીરાદિથી રહિત, પોતાના સ્વરૂપથી અર્થ : સર્વ કર્મમલરહિત નિર્મળ; વિવિક્ત અસ્પૃષ્ટ, પ્રભુ ઇન્દ્રાદિકથી પૂજિત, અવ્યય ચ્યુત નહિ થનારા, પરમેષ્ઠિ પરાત્મતિ ઇન્દ્રાદિએ રચેલા સમવસરણે વિજયમાન; પરાત્મ ઈશ્વર, પરમ ઐશ્વર્યવાન, જિન રાગ-દ્વેષને અત્યંતપણે જીતનાર. = = ૨૦ Jain Education International = જ્ઞાનાવરણાદિ વિવિધ કર્મોના કારણરૂપ મિથ્યાત્વ અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગરૂપ દોષ જેના નષ્ટ થયા છે, જેના કષાયો અત્યંત ક્ષીણ થયા છે, દેહાદિ ધારણ થાય તેવા વિકારો નાશ પામ્યા છે તે નિર્મળ પરમાત્મા છે. = ઘાતીકર્મ નાશ પામવાથી જે સ્વસ્વરૂપે પ્રગટ થયા છે, જેમની સ્વસ્વરૂપમાં રમણતા છે તે કેવળી ભગવંત છે, તે આત્મા શરીરાદિ છૂટી જતાં જ્યારે એક પણ પરમાણુનો સ્પર્શ રહેતો નથી ત્યારે તેઓ પૂર્ણ કેવળી પરમાત્મા છે. અનાદિનો કર્મમળ જેનો નાશ પામ્યો, જગતના સર્વ પદાર્થોથી For Private & Personal Use Only આતમ ઝંખે છુટકારો www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy