SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ વટાવી પથિક રાજમાર્ગ પર આવ્યો હોય તેમ સશાસ્ત્રના આધારે, અપૂર્વબળે અને અંતરની શુદ્ધિ વડે અપ્રમત્તદશાયુક્ત અપૂર્વયોગ પ્રત્યે અવિરત ગતિએ પહોંચે છે. અને આત્મશક્તિનો ગજબનો પ્રભાવ પ્રગટ થાય છે. તે સામર્થ્યયોગી હવે તો સ્વભુજાબળે આત્મસામર્થ્યના પ્રભાવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રેણિએ આરૂઢ થઈ જાય છે. ત્યાં પ્રથમ જે આગળની દશાના ક્ષયોપશમભાવના ક્ષમાદિ ધર્મ હતા તે પણ સહજપણે શમી જાય તેવો ધર્મસંન્યાસ કરતો આયુષ્ય પૂર્ણ થવાના સમયે યોગનિરોધ કરી યોગસંન્યાસને સાધી પૂર્ણ મુક્ત થાય છે. ઈચ્છાયોગી – સમ્યગૃષ્ટિવંત શાસ્ત્રયોગી – અપ્રમત્તમુનિ સામર્થ્યયોગ – ગુણશ્રેણિ આરોહણ. ભેદજ્ઞાનનું સ્વરૂપ કાષ્ઠને ચીરતું કરવત કાષ્ઠને વૃક્ષથી જુદું કરે છે. અગ્નિ સુવર્ણાદિકના મેલને દૂર કરી માટીથી ભિન્ન કરે છે. સાબુ જેવા પદાર્થો મલિન વસ્ત્ર-પાત્રનો મેલ દૂર કરે છે. ખટાશ દૂધ-પાણીને ભિન્ન કરે છે. તલને પીલવાથી તલમાં રહેલું તેલ જુદું પડે છે. શેરડીને યંત્રમાં પીલવાથી તેનો રસ જુદો થાય છે. પણ મીઠાની ખારાશ, આમલીની ખટાશ, ગોળનું ગળપણ કેવી રીતે જુદું પાડવું ? : ભાઈ ! જે પદાર્થો લક્ષણથી, સ્વભાવથી કે ગુણથી ભિન્ન છે તે ભિન્ન થવા કે રહેવા સર્જાયા છે, પરંતુ જે પદાર્થોનાં જે લક્ષણો છે તે ક્યારે પણ ભિન્ન થતાં નથી. તે ન્યાયે જે સાધકની પ્રજ્ઞા જાગ્રત થાય છે, અર્થાત્ જેને ભેદજ્ઞાન થાય છે તેને દેહાદિથી ભિન્ન ૩૦૨ આતમ ઝંખે છુટકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy