SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ કેમ સાધ્ય કરવો તે શાસ્ત્રથી સામાન્યપણે જાણી શકાય. વિશેષપણે તો અનુભવથી સમજી શકાય. કારણ કે અપ્રમત્તદશા પછીની અનંતગુણી આત્મવિશુદ્ધિમાં કેવાં સંવેદનો આવે, અનુભૂતિ થાય તે કથનમાં જ્ઞાની પણ કેવી રીતે લાવી શકે ? છતાં વાણીધર્મમાં તેનો કંઈક નિર્દેશ કહ્યો છે, કે અપૂર્વ શ્રદ્ધા, સમ્યગ્રદર્શનની નિર્મળતા, સંયમની વિશેષ શુદ્ધિ, સ્વપરિણતિયુક્ત આત્મરમણતા, નિરંતર તત્ત્વોનું ગહન ચિંતન, તપ, અનુષ્ઠાન, ધર્મધ્યાનની પ્રબળતા, આ સર્વ શુક્લધ્યાનના ઉપાયોનું કથન કહ્યું. પરંતુ તે સમયની સાધકની આંતરિક નિર્મળતા, સ્થિરતા અને સ્વરૂપરમણતા વગેરે દશા તો કેવળ અનુભવનો વિષય છે. તેને સામર્થ્યયોગ કહે છે. એ પ્રબળ પુરુષાર્થયુક્ત ધર્મવ્યાપાર છે. ૨. શાસ્ત્રકથનથી પણ વિશેષ ઉપાયો : સાધકને શાસ્ત્રમાં દર્શાવેલા સામાન્ય ઉપાયોથી દિશાસૂચન મળી રહે. પરંતુ સામર્થ્યયોગની પોતાની આત્મશક્તિ વડે જ તે માર્ગના સ્વરૂપને જાણી લે છે. જેમ પક્ષીનું બચ્ચું ઊડતાં શીખી લે પછી પોતાની મેળે ગગનવિહાર કરે છે. તેમ સામર્થ્યયોગીને મુક્તિનો માર્ગ સ્વયં પ્રત્યક્ષ જણાય છે. તે પહેલાંની અવસ્થામાં જે માર્ગ દૂરવર્તી જણાતો હતો તે સામર્થ્યયોગીને નિકટવર્તી લાગે છે. તેથી તે સ્વયં નિર્ભય, અને નિશંકપણે સ્વભુજાબલે એક પછી એક શિખર ઉલ્લંઘતો જાય છે. અને શિખરની ટોચે પહોંચી જાય છે. ૩. આત્મશક્તિની પ્રબળતા : શાસ્ત્રોક્ત વિધિયુક્ત, જિનાજ્ઞાને આધીન, પ્રબલ શ્રદ્ધાબળે, અપ્રમત્તદશા વડે સામર્થ્યયોગમાં પ્રવેશ કર્યા પછી તે યોગીને સ્વયં પોતાની જ આત્મશક્તિ વિપુલપણે પ્રગટ થાય છે. તે શક્તિના આશ્રયે તે આવો વિરાટ ભવસમુદ્ર તરી જાય છે. માટે સામર્થ્યયોગ શ્રેષ્ઠ છે, યોગશિરોમણિ છે અને શીધ્રપણે-અનંતર મુક્તિનું કારણ છે. ૪. સેવન : શાસ્ત્રની મર્યાદાથી પણ આગળના ઉપાયોનું વિશેષપણું. સમ્યગ્ગદર્શનાદિ મોક્ષનાં સાધનો શાસ્ત્રથી જાણી શકાય એ કારણે શાસ્ત્ર ઉપકારભૂત છે. છતાં શાસ્ત્રની મર્યાદા છે. દ્રવ્યદ્યુત ઉપકારી આતમ ઝંખે છુટકારો ૩૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy