SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ઇચ્છાયોગથી હવે આગળની ભૂમિકા શાસ્ત્રયોગની છે. ઈચ્છાયોગ પ્રમાદ સહિત હોવા છતાં સમ્યગૃષ્ટિપણું છે તે અવિરતિ સમ્યગૃષ્ટિ દેશવિરતિ સમ્યગૃષ્ટિ અને સર્વવિરતિ સમ્યગૃષ્ટિ એમ કક્ષા પ્રમાણે હોય છે. પ્રસ્તુત શાસ્ત્રયોગમાં હવે પ્રમાદનાં જે લક્ષણો હતાં – નિદ્રા, વિકથા, ચંચળતા, સંશય અનુપયોગ, વિસ્મરણ વગેરેને આત્મશક્તિને આધારે દૂર કરવાનો પુરુષાર્થ કરે છે. શાસ્ત્રયોગી મનાદિયોગમાં સ્થિરતાવાળો હોય છે. ધર્મસાધનામાં શુભલેશ્યાવાળા અધ્યવસાય હોય છે. શુદ્ધ સૂત્રઉચ્ચારણ, યથાર્થ ક્રિયાવિધિ, શાસ્ત્રઅધ્યયન, નિરતિચાર, પાલન, ધારાવાહી ઉપયોગવાળો હોય છે. અપવાદમાર્ગને સેવે છતાં કંઈ ત્રુટિ હોતી નથી. આવી અપ્રમત્તદશા શાસ્ત્રાયોગીનું મુખ્ય લક્ષણ છે. શાસ્ત્રયોગી જાણે જ્ઞાનયોગીપણે પ્રગટ થયો છે. શાસ્ત્રયોગી જ્વલંત શ્રદ્ધાવાન હોવાથી અપ્રમાદી હોય છે. અત્યંત ઉત્સાહપૂર્વક સર્વ ક્રિયામાં પ્રવર્તે છે. તે સ્વસ્વરૂપમાં સ્થિત હોવાથી તે કષાય, વિષય, વિકથા, રાગદ્વેષ જેવા પ્રકારોથી મુક્ત છે. શુદ્ધ આત્મપદમાં રમણતા હોવાથી પ્રમાદ ત્યાં ફરકી શકતો નથી. નિગ્રંથમુનિની એવી અપ્રમત્તદશા છે. યથાશક્તિ અર્થાત અપ્રમાદી એવા મુનિ પોતાની સર્વ શક્તિ વડે અથવા અનુષ્ઠાનને યોગ્ય જેટલો પુરુષાર્થ યોજવો પડે તેવી રીતે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરે છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ ઇન્દ્રિયના વિષયોનો સંયમ વગેરેનું ઉત્તમ પાલન કરે છે. દર્શનમોહ તો તેમણે નષ્ટ કર્યો છે, પરંતુ ચારિત્રમોહને નાશ કરવા તે ઉદ્યમવંત છે. આવી અપ્રમત્તદશા કોઈ વિરલા જીવો જ પ્રાપ્ત કરે છે. આગમધર હોય તોપણ મોહનીય કર્મનો ઉદય પ્રમાદનું આચરણ કરાવી દે. તેથી મુનિ સદાય જાગ્રત અને અપૂર્વ ઉલ્લાસથી પુરુષાર્થ કરે છે. અસત્ નિમિત્તા અને પતનનાં સ્થાનોથી તેઓ દૂર જ રહે છે. સમાધિશતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ૨૦
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy