SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ તેનું જ્ઞાન પર.રૂપી સારી છે. તત્વની શ્રવણથી ઘર્મતત્ત્વનું જ્ઞાન આગમનું શ્રવણ સદગુરુની નિશ્રામાં થયેલું હોવું જોઈએ. પોતે પોતાની મતિકલ્પનાથી કરે તો કોઈ વાર આરાધના વિરાધના થઈ જાય. સદ્દગુરુ મુખે શ્રવણ કરીને વિધિનિષેધનો વિવેક કરે તો કર્મની નિર્જરા થાય છે. શાસ્ત્રશ્રવણમાં તેના સિદ્ધાંતો અને તત્ત્વની સમજ કેળવવી જોઈએ. શ્રવણ પણ અવધાનપૂર્વક કરવું જોઈએ. સદ્ગુરુએ આપેલો બોધ પરિણામ પામે તો શાસ્ત્રશ્રવણથી જીવ પાત્ર થઈ શ્રુતજ્ઞાની થાય. ૩. ઘર્મતત્ત્વનું જ્ઞાન – સમ્યગુજ્ઞાન - શ્રુતજ્ઞાન વડે સાધક – ઈચ્છાયોગી આત્મજ્ઞાનની પાત્રતાને યોગ્ય બને છે. શાસ્ત્રબોધ વડે તત્ત્વ પરિણામ પામીને જીવ સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. એથી તેનું જ્ઞાન પણ સમ્યગ્રજ્ઞાન હોય છે. અધ્યાત્મશાસ્ત્રનો – આગમશાસ્ત્રનો અભ્યાસ કરીને શાસ્ત્રરૂપી સાગરનું મંથન કરીને ઇચ્છાયોગી તત્ત્વને પામે છે. તે સમ્યદૃષ્ટિ આત્મા છે. તત્ત્વની શ્રદ્ધાથી ધર્મની ભાવના દઢ કરે છે. એ શ્રદ્ધા સાધકને આગળના માર્ગે નિર્વિને લઈ જાય છે. ૪. વિકગાદિ પ્રમાદવશ ખામીવાળી સાધના , પૂર્ણતા પામતાં સુધી સાધકે પ્રાપ્ત જ્ઞાનની શુદ્ધિ અને વૃદ્ધિ કરવાની છે. ધર્મની ઇચ્છા થાય, શાસ્ત્રશ્રવણ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે પરંતુ તેને અનુરૂપ સતુપ્રવૃત્તિ-આચરણ ન કરે તો તે ઇચ્છાયોગની પૂર્તિ થતી નથી. જેમ કે ધર્મરુચિ થયા પછી તેણે શાસ્ત્રશ્રવણ કર્યું કે અહિંસા પાળવી, સત્ય આચરવું, અચૌર્ય પાળવું, સદાચારી રહેવું, પરિગ્રહની મંદતા કરવી, પરંતુ આચરણ સમયે કંઈક નબળો પડે. મનને મનાવી લે તો તે સાધનામાં ત્રુટિ રહે છે. વળી જો વર્તમાનમાં સાધક પ્રાપ્ત જ્ઞાનને વિપરીતપણે પરિણમાવે તો ભવિષ્યમાં તેને કેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય ? ધર્મસાધનાની રુચિ છતાં પૂર્વના અજ્ઞાનવશ સેવેલા સંસ્કારો, સમાધિશતક ૨૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy