SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટ આપે છે, કારણ કે તેણે ધનવૃદ્ધિમાં સુખ માન્યું છે. વળી ધર્મક્ષેત્રમાં જઈને વિવિધ પ્રકારની બાહ્યક્રિયામાં રાચ્યો રહે છે, પણ આત્મદષ્ટિ જાગે નહિ, તો ભલે તે શાસ્ત્રવેત્તા થાય તો પણ તેની મુક્તિ થતી નથી. કરેલું કષ્ટ વ્યર્થ જાય છે. માટે મુનિપણાને વિશે સદા જાગ્રત રહી એકાંતે અંતરદૃષ્ટિ સાધી આત્મભાવના દિઢ કરવી. જગતવાસી જીવો ! શુભયોગમાં મળતી સામગ્રીની ચમક જોઈ ચમકે છે કે અહો હું કેવો સુખી છું. પરંતુ તેના અંતરદાહને તો તે પોતે જ જાણે છે. ધનના નફામાં અને યશકીર્તિથી તે સુખ માને છે, અને તે મેળવવા દુઃખ સહન કરે છે. પરંતુ આ મુનિજનોની વાત તો ભાઈ ન્યારી છે. તેઓ જંગલમાં મંગલ કરનારા છે. આપત્તિને સંપત્તિ માનનારા છે, વળી તેઓ દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહે છે. ક્રિયાયોગ અભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાન અબંધ, દોનુÉ જ્ઞાની ભજે, એક મતીતે અંધ. છંદ-૯૧ ગ્રંથકારે અસંખ્ય પ્રકારના યોગ કહ્યા છે, આત્માર્થે કે મોક્ષાર્થે થતાં બધા પરિણામ યોગ છે, સાધક અવસ્થા મેદવાળી છે. તેમાં જ્ઞાન અને ક્રિયા મળી જીવની મોલોત્પત્તિ થાય છે. ક્રિયા યોગની ફળશ્રુતિ જ્ઞાન છે. સાધક જેમ જેમ આધ્યાત્મિક વિકાસની શ્રેણીએ આગળ વધે છે તેમ તેમ ક્રિયાનો પ્રકાર બદલાતો રહે છે અને સૂક્ષ્મ થતો જાય છે. બાહ્ય ક્રિયાઓ ગૌણ થતી જાય અને અંતરંગ ક્રિયાની વૃદ્ધિ થતી જાય છે. બાહ્ય ક્રિયા એટલે બહારથી જણાય તેવા ભક્તિ, સત્સંગ, તીર્થાટન, વગેરે. અંતરંગ ક્રિયા એ ધર્મધ્યાનરૂપ છે. અંતર નિરીક્ષણ, અંતર્મુખતા, તત્ત્વચિંતન તે અંતરંગ ક્રિયાઓ છે. જે ચિત્તની શુદ્ધિ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે છે. બાહ્ય ક્રિયા શુભભાવનું કારણ છે. અંતરંગ ક્રિયા મોક્ષાભિમુખ કરનારી છે, અંતમાં ક્રિયા પણ રહેતી નથી ઉપોયોગ સ્વરૂપમાં લીનતા પામે છે. આખરે યોગનિરોધ થઈ જીવ મુક્ત થાય છે. ૨૦૨ Jain Education International આતમ ઝંખે છુટકારો www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy