SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે દુઃખ પામતા નથી પરંતુ તેવા સંયોગોમાં ઉપસર્ગો કે પરિષહોને સમતાપૂર્વક સહીને પોતાના આત્માને શુદ્ધ કરે છે. જે મુનિઓએ આત્માને જુદો જામ્યો છે, તેઓ દેહની પીડાથી ચલિત થતા નથી. તેમને દુઃખ વિશેનું સાચું જ્ઞાન છે તેથી દુઃખના પરિતાપથી તેઓ પીડા પામતા નથી. તાતેં દુઃખસુ ભાવિયે, આપશક્તિ અનુસાર, તો દઢતર થઈ ઉલસે, જ્ઞાન ચરણ આચાર. છંદ-૮૮ કોઈએ ઘોડાને ખવરાવી પીવરાવી પુષ્ટ કર્યો પણ પલોટ્યો ન હોય તો રણમેદાને તે કામ ન આવે, પાછો પડે. તેમ મુનિઓ શાતાના ઉદયમાં પણ તપ, લોચ, ગરમી, ઠંડીને સહી લે છે. અશાતા ઉદયમાં આવ્યા પહેલાં આ પ્રયોગો દ્વારા કષ્ટને સામેથી આમંત્રણ આપે છે, કે જેથી દેહ ખરે સમયે સાધનામાં પાછો પાડી ન દે. તપ દ્વારા સુધાવેદનીયથી ભિન્નતાનો અનુભવ કરે છે. લોચ દ્વારા શારીરિક વેદનાથી પોતે ભિન્ન છે તેવું જ્ઞાનમાં અનુભવે છે ગરમી કે ઠંડીમાં રક્ષણ ન મેળવતા તેના વડે દેહનો અધ્યાસ છોડે છે. આમ અનેકવિધ પ્રયોગ કરી યથાશક્તિ મુનિ દેહને કેળવે છે, જેથી તે મૃત્યુ સમયે આત્મભાવનામાં ટકે છે અને સમાધિમરણ પામે છે. તપાદિ દરેક પ્રકારોમાં દઢ થઈ સઉલ્લાસ જ્ઞાન અને ચારિત્રનો આચાર શુદ્ધપણે પાલન કરે છે. તેવા મુનિઓનું જ્ઞાન અને ચારિત્રના આચાર એકપણે વર્તે છે. ભાઈ ! તું વિચાર કરજે આ નરભવ ભોગાથે મળ્યો નથી. ઘણી કિંમત ચૂકવીને મળેલા નરદેહને મોક્ષાર્થે યોજવાનો છે. જો તારો સંસાર જ વધતો રહેશે તો નરદેહ હારી જઈશ. આપત્તિ અને વિપત્તિરૂપ આ સંસારમાં તું સંપત્તિ મેળવવામાં રોકાઈ ગયો. અને સમય તો વહેતો જાય છે, એક પળ પણ પાછી મળવાની નથી. સંસારમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. એવું વિરલા જીવને સમજાય છે. ભોગસુખની આસ્થા શમે ત્યારે ભોગાથે રુચતો નથી. પરંતુ આત્માર્થની રુચિ થાય છે. ર૬૪ આતમ ઝંખે છુટકારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy