SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ રોગાદિના પ્રસંગે આકુળ ન થતાં દેહને જુદો જાણી સમભાવે રોગાદિને સહન કરે છે તે ક્રમે કરીને સમાધિ અવસ્થામાં આવે છે. પરંતુ જેણે કેવળ કલ્પના કરી છે કે દેહથી આત્મા જુદો છે તે દેહની વેદનાને જાણનારો છે, પણ તે તે વેદનામય થતો નથી એવું શ્રવણનું જ સુખ માન્યું છે. વળી તેણે વિચાર્યું છે કે દેહ તો કાચી માટીના કૂંડા જેવો છે. માટીમાં મળી જવાવાળો છે. અગ્નિસંસ્કારને પામવાવાળો છે, દેહ કંઈ આપણો સાચવ્યો સચવાતો નથી. માટે તેના પ્રત્યે અહં કે મમત્વ કરીને શું કરવું છે ? આવું ઘણું વિચારવા છતાં જીવનમાં એવો પ્રયોગ કર્યા વગર કંઈ ખરે સમયે જીવ ટકતો નથી. આત્માને અનેક પ્રકારનાં કર્મનો સંયોગ છે. તેમાં વેદનીય કર્મ જીવને અનુભવમાં આવે છે. ત્યારે ટકી શકતો નથી. બીજાં કર્મના ઉદયમાં જીવ ગમે તેમ નિભાવી લે છે. જેમ કે જ્ઞાનાવરણને કારણે સ્મૃતિ ન રહેતી હોય. મોહનીય કર્મના ઉદયે રાગાદિ ભાવ થતા હોય તો તેનું કંઈક સમાધાન શોધી લે છે પરંતુ શરીરમાં થતી પીડાને ભોગવતાં મૂંઝાઈ જાય છે, તે સમયે વાસ્તવિક ભેદજ્ઞાન થયું હોય તો દેહની વેદનાને શાંતિથી ભોગવી લે છે. તે સિવાય તો જીવ તેવા પ્રસંગે આત્મશાંતિ ટકાવી શકતો નથી. જ્ઞાની-યોગી પ્રથમથી જ મનને કેળવી લે છે, તેને બરાબર સમજાવી દે છે કે આ દેહ ને આત્મા એક નથી. પ્રથમ ઔદારિક શરીરના એકત્વને શમાવે છે, વળી તેજસ શરીર અને કર્મણ શરીરથી ભિન્નતાનો અભ્યાસ કરે છે. આમ ઉપયોગને શરીરથી પર એવા આત્મતત્ત્વના નિરીક્ષણ દ્વારા ચિંતન દ્વારા ભિન્નપણે અનુભવમાં લે છે તેથી જ્ઞાની ઉપસર્ગ જેવા સંયોગમાં ચલિત થતા નથી. સુખ ભાવિત દુઃખ પાયકે ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સો બહુ તાપસે, કોમલ ફૂલ સમાન. છંદ-૮૬ અર્થ : જે સુખની પાછળ દુઃખનો અનુભવ થાય છે, તેવા સુખોમાં જેણે સુખની જ કલ્પના કે ભાવના કરી છે તે જીવો જ્યારે ર૬૨ આતમ ઝંખે છુટકારો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy