SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગના ઉપાયોમાં કષ્ટ માને છે. પરંતુ જગતનાં ભૌતિક સુખો મેળવવા માટે ભોગી મનુષ્ય કષ્ટ જ વેઠે છે. તેનો તેને ખ્યાલ નથી. ધન પુણ્યથી પ્રાપ્ત થાય તો પણ તે મેળવવા અને રક્ષણ કરવા પરિશ્રમ ઉઠાવવો પડે છે. કેવી મજૂરી કરવી પડે છે ? કેટલાય સાહેબોની ખુશામત અને ગુલામી કરવી પડે છે. પતિ-પત્ની અન્યોન્ય સુખ આપવા કષ્ટો વેઠે છે. અરસપરસ ખુશ રાખવા માનસિક અને શારીરિક કષ્ટ વેઠે છે, ઘરમાં સુખ માને છે તો તેને માટે પરિશ્રમ ઉઠાવવો પડે છે, કારણ કે તેમાં સુખની આશા, તૃષ્ણા અને અપેક્ષા છે. હવે જેને સંસારને પૂર્ણપણે દુ:ખરૂપ જોયો છે તેવા યોગીઓને સન્માર્ગની સાધનામાં ક્યાંયે દુઃખ હોતું નથી. મોક્ષમાર્ગમાં તેમનું જોડાવું-(યોગ) તે તેમના માટે સુખરૂપ છે. કથંચિત તે માર્ગે જતાં પ્રારંભમાં અંતરમાં સંસ્કારો જાગે ત્યારે યોગી જાગ્રતપણે તે સંસ્કારોને સુભટ થઈને ભગાડે છે, બહારમાં કોઈ ઉપસર્ગ જેવાં કષ્ટ પડે તો તેમાં કર્મનાશનો ઉપાય જાણી શૂરવીર થઈને તેને સમતાથી સહન કરે છે. ભાઈ ! તું ભોગી કે રોગી આ યોગીના સ્વરૂપને શું જાણે ? યોગી ચિત્તવૃત્તિઓનો નિગ્રહ કરી પોતાના પરમાત્મસ્વરૂપમાં એવા લીન હોય છે, કે તે સમયે તેઓ દેહભાવથી મુક્ત એવા નિજસ્વરૂપના સુખમાં વર્તે છે. તે સમયે કથંચિત દેહને કંઈ પ્રતિકૂળતા થાય, ઉપસર્ગ થાય ત્યારે તેના વડે તેઓ દુ:ખ પામતા નથી. અર્થાત્ યોગસ્વરૂપ યોગીને કંઈ દુઃખ હોતું નથી. મોક્ષસ્વરૂપ સ્વાત્મામાં જેના પરિણામ-યોગ જોડાયા છે. તેવા યોગીને અનંતગુણસ્વરૂપ સુખમાં રમણતા છે ત્યાં આત્માથી ભિન્ન એવા દેહનું કલ્પેલું દુ:ખ કેવી રીતે કષ્ટ આપે ? યોગના નિરોધથી યોગીને કોઈ પણ અવસ્થામાં દુઃખ ન હોય. જ્ઞાનીકું દુઃખ કુછ નહીં, સહજ સિદ્ધ નિર્વાણ, સુખ પ્રકાશ અનુભવ ભયે, સબહી ઠૌર કલ્યાણ. છંદ-૮૪ આતમ ઝંખે છુટકારો ૨૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy