SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે સ્વયં ભગવાનસ્વરૂપે થાય છે ત્યારે અભેદ બને છે. વળી સાધક નિર્વિકારદશામાં પોતાના આત્માને આશ્રયી સાધના કરે છે ત્યારે પોતાના સ્વરૂપથી તે અભેદ હોય છે. પરંતુ જ્યારે અવલંબનયુક્ત સાધના હોય છે ત્યારે તે સવિકલ્પ દશામાં ભેદસ્વરૂપે હોય છે, વળી ક્રમે કરીને નિરાલંબન દશામાં આગળ વધતા પોતાના જ આત્મા વડે આત્માની ઉપાસના કરી અભેદ સ્વરૂપને પામે છે, માટે ભૂમિકા પ્રમાણે સાધના ભિન્ન અભિન્ન કહી છે. અરિહંત સિદ્ધ આદિના સ્વરૂપને યથાર્થપણે જાણી પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવાથી અનિર્વચનીય પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. આત્મા સંસારથી સર્વથા મુક્ત થાય છે. એહિ . પરમ પદ ભાવિયે વચન અગોચર સાર, સહજ જ્યોતિ તો પાઈ મેં, ફિરિ નહિ ભવ અવતાર. છંદ-૮૩ જે પદ કેવળી ભગવંતોના જ્ઞાનમાં પ્રગટ થવા છતાં તેનું કથન તો વચનાતીત છે, પરંતુ તે અનુભવાત્મક છે. એથી ઉપાદેય પણ છે. માટે નિરંતર આત્મસ્વરૂપની ભાવના દૃઢ કરવી. જેના કારણે પરમ પદની પ્રાપ્તિ થાય છે. તેનો સંસાર સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. પુનઃ ત્યાંથી પાછું સંસારમાં આગમન થતું નથી. આવું પૂર્ણ પદ જે પામે છે તેનું નામ યમદેવની યાદીમાંથી પણ નીકળી જાય છે. તેથી જન્મ-મરણના આંટા પણ ટળી જાય છે. અહો ! જીવ કેવી અદ્વિતીય નિરાંત અનુભવે છે ? ચૌદરાજની ચાર ગતિના ચોરાશી લાખ યોનિના ચક્કરમાંથી છુટકારો મળ્યો. અનંત પ્રકારનાં દુઃખો, તાપ, ઉત્તાપ, સંતાપથી મુક્તિ મળી, અને અનંત અવ્યાબાધ શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ. શુદ્ધ આલંબન દ્વારા ભિન્ન ઉપાસના કે આત્મરમણતારૂપ અભિન્ન ઉપાસના એ મોક્ષમાર્ગની ઉત્કૃષ્ટ સાધના છે, ઇન્દ્રિયાદિ વિષયોનું શાંત થઈ જવું અને સ્વરૂપમાં સમાઈ જવું તે મહાન તપ છે. તે વડે નિર્જરા થઈ અંતે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય છે. પરમાત્મસ્વરૂપને જે પામ્યા છે, પરદૃષ્ટિથી સંપૂર્ણપણે અસંગતાને સમાધિશતક Jain Education International For Private & Personal Use Only ૨૫૩ www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy