SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ મિરાત્માનમુપાયાત્મા, પરો, મવતિ તાદૃશઃ. वर्तिीपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥१७॥ ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. ૯૭ અર્થ : આત્મા પોતાથી ભિન્ન એવા પરમાત્માની ઉપાસના કરે છે, તે પરમાત્મા સમાન થાય છે. જેમ દીપકથી ભિન્ન એવી વાટ દીપકની ઉપાસનાથી પોતે દીપકસ્વરૂપ થાય છે. આત્માને ઉપાસ્ય શુદ્ધાત્મા છે, પોતે ઉપાસક છે. ઉપાસ્યને સિદ્ધ કરવા ઉપાસના કરે છે. પરમાત્મા પ્રગટ શુદ્ધાત્મા છે, અને વર્તમાનમાં ઉપાસકની અવસ્થા અશુદ્ધ છે. તેનું ધ્યેય પરમાત્માસ્વરૂપે પ્રગટ થવાનું છે. ભલે પરમાત્મતત્ત્વ પોતાના આત્માથી ભિન્ન છે, પરંતુ મૂળ લક્ષણ સમાન છે. તેથી પરમાત્માને ભજીને, ધ્યાવન કરીને જીવ પોતે પરમાત્મસ્વરૂપ થાય છે. ઉપાસક જેને ઉપાસ્ય કરી ઉપાસના કરે છે તે અભેદ એવા સ્વરૂપને પામે છે. પ્રગટ શુદ્ધાત્મા અરિહંત અને સિદ્ધ છે. તે પોતાના આત્માથી ભિન્ન દ્રવ્ય છે. પરંતુ જ્યાં સુધી જીવ સ્વયં પરમાત્મપણે પ્રગટ થતો નથી ત્યાં સુધી પ્રથમ ભૂમિકા સાલંબનની હોવાથી તેણે પરમાત્મપદની ઉપાસના કરવી આવશ્યક છે, જે જીવ જેનું ધ્યાન નિરંતર કરે છે તે તેના જેવો થાય છે. જેમ પ્રગટ થયેલા દીવાથી ભિન્ન એવો અન્ય દીવો કે વાટ તે દીવાની જ્યોતને સેવીને પોતે જ્યોતિપણે પ્રગટ થાય છે. ભલે અપ્રગટ સો દીવા વાટ સાથે પડ્યા હોય પણ એક પ્રગટેલા દીવાથી અન્ય દીવા પ્રગટે છે. તેમ જીવ પોતે શિવસ્વરૂપ છે. તેનું પરમાત્મપણું પોતાનામાં જ રહ્યું છે, પરંતુ અરિહંતાદિના અવલંબનરહિત તેમના ગુણોની ઉપાસનારહિત જીવ શિવસ્વરૂપે પ્રગટ થતો નથી. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય, જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય જીનેશ્વર. ૨૪૬ આતમ ઝંખે છુટકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy