SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ નાવની જરૂર રહે છે તેમ અવ્રતને છોડવા વ્રતનો આશ્રય છે, છતાં વ્રત પણ વિકલ્પવાળા છે. વિધિનિષેધયુક્ત વિકલ્પ છે. હિંસા ન કરું, અહિંસા પાળું, અસત્યાદિ આચરું નહિ, સત્યાદિનું સેવન કરું, આજે ઉપવાસાદિ કરું, કાલે આહારાદિ ગ્રહણ કરીશ. તીર્થાટન કરું. અમુક માળા ગણું. અમુક સામાયિક કરું. આવા શુભભાવ સાધકને આવે છે. પરંતુ વિકલ્પરહિત આત્મદશાને તે બાધક છે. તેથી ભૂમિકાનુસાર વ્રત-સંયમના વિકલ્પને ત્યજીને જ્ઞાનસ્વરૂપ આત્માનું ધ્યાન કરવું. જોકે એ દશાનો પ્રારંભ વિકલ્પવાળો છે, પરંતુ ધ્યાનદશા આવતાં સહજપણે સાધક જ્ઞાનસંપન્ન થાય છે. તે જ્ઞાનસ્વભાવમાં લીન થતાં વ્રતાદિના વિકલ્પો શમી જાય છે અને સહજદશાનું સર્જન થાય છે, તે આત્મા સ્વયં સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થાય છે. પરમાર્થમાર્ગનો રુચિવાળો સાધક વ્રત નિયમને દઢતાપૂર્વક પાળે છે. જો તેવી શક્તિ ન હોય તો તે આકુળ ન થતાં ક્રમે કરીને શક્તિને કેળવે છે. અવિરતિ હોવા છતાં મંદકષાયી શક્તિને કેળવે છે. પછી દેશવિરતિને ગ્રહણ કરી મંદ કષાયી થયો હોવાથી હિંસાદિ પાપજનિત કષાયોના વિકલ્પ તેને શમી જાય છે. વિશેષ આત્મશુદ્ધિ માટે તે સન્શાસ્ત્રોનું અધ્યયન કરે છે. અને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થઈ વીતરાગતાની વૃદ્ધિ કરી સર્વવિરતિ ગ્રહણ કરે છે. આમ આત્મ સન્મુખ રહી તે અંતરાત્મા કષાયને ક્ષણ કરી, અપ્રમત્તદશામાં પ્રવેશ કરે છે. ત્યારે યોગ્યતાનુસાર શ્રેણિ માંડી કષાયનો ક્ષય કરી પરમાત્માપણે પ્રગટ થાય છે, ત્યાર પછી તેઓ સ્વયં સિદ્ધ થાય છે. દશા પ્રમાણે અવ્રતી કે વ્રતીને શુભાશુભ વિકલ્પો હોય છે. પરંતુ તેમની પાસે ભેદવિજ્ઞાન હોવાથી તે શુભાશુભ વિકલ્પોમાં અટકતા નથી, કારણ કે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિમાં તે વિકલ્પો અસ્થિરતાં પેદા કરે છે. તેથી તેઓ તેને ભૂમિકાનુસાર છોડે છે, આથી એટલે અંશે જ્ઞાનાદિ છે તેટલે અંશે બંધ નથી અને જેટલા રાગાદિભાવ છે તેટલો બંધ છે. શુભરાગ મોક્ષનું કારણ થતો નથી. શુદ્ધભાવ મોક્ષનું કારણ છે. ૨૨૪ આતમ ઝંખે છુટકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy