SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અવલંબન રહે છે. ત્યાર પછી આગળની ભૂમિકાએ નિરાલંબન થઈ સ્વસ્વરૂપમાં સ્થિતિ થાય છે ત્યારે પૂર્વભૂમિકામાં સેવેલા વ્રતાદિના વિકલ્પો છૂટી જાય છે. દહન સમે જ્યું તૃણ દહી, હું વ્રત અવ્રત છેદિ, ક્રિયા શક્તિ જીનમેં નહીં, જા-ગતિ નિશ્ચય ભેદિ. છંદ-૬૯ તૃણમાં લાગેલો અગ્નિ તૃણને બાળીને સ્વતઃ સમાઈ જાય છે. તેમ વ્રત અવ્રતને છેદીને સ્વયં વિલય પામે છે. તૃણ વગર અગ્નિ બળતો નથી તેમ વ્રત કર્યા વિના અવ્રત ટળતાં નથી. નિશ્ચયદૃષ્ટિ થયા વગર વ્રતના વિકલ્પ શમતા નથી. અવ્રત કે વ્રતની કોઈ બાહ્ય ક્રિયા કરવાની શક્તિ-વૃત્તિ જે દશામાં નથી તે નિશ્ચયદૃષ્ટિનું સ્વરૂપ છે. નિશ્ચયનયથી જોતાં અવ્રતને છેદવાની શક્તિ વ્રતમાં નથી પરંતુ બાહ્ય કે અત્યંતર હિંસાદિ પ્રવૃત્તિઓ આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થતાં નષ્ટ થાય છે. વાસ્તવમાં શુભાશ્રવ કે અશુભાશ્રવ બંનેથી આત્મસ્વરૂપ ભિન્ન છે, આત્મા સ્વસ્વરૂપમાં તન્મય રહે છે ત્યારે બંને આશ્રવનો છેદ થાય છે. यदन्तर्जल्पसम्पृक्तमुत्प्रेक्षाजालमात्मनः । मूलं दुःखस्य तन्त्राशे, शिष्टमिष्टं परं पदम् ॥८५॥ અંતર્જક્ષે યુક્ત જે વિકલ્પ કેરી જાળ; તે દુઃખમૂળ, તસ નાશથી ઇષ્ટ-પરમ-પદ લાભ. અર્થ : અંતરમાં ચાલતી અવ્યક્તની વાચાની જાળ તે દુ:ખનું મૂળ છે. તેનો નાશ થતાં આત્મા પરમપદને પામે છે. ૮૫ અંતરમાં ચાલતી અવ્યક્તની વાચા પણ વિકલ્પની જાળ છે, પવન વડે જેમ અગ્નિ ફેલાય છે તેમ વિકલ્પ દ્વારા ભાવ ઊપજે છે, અંતરમાં ઊઠતા તરંગો એ અવ્યક્ત વાચા છે. એને અંતર્જલ્પ કહે છે. જે શેખચલ્લીના વિચારો જેવા છે. દરિદ્રી માનવ નિરંતર ધનાદિની પ્રાપ્તિના વિકલ્પ કરતો હોય છે. તેના અંતરમાં તરંગો ઊઠે છે કે જો લોટરી લાગે તો ઘણું સમાધિશતક Jain Education International For Private & Personal Use Only ૨૨૧ www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy