SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકાદિ ક્રિયાઓ, લોકસંજ્ઞારૂપ સાધનો એ સર્વ એક બાહ્ય વ્યવહાર છે. કોઈ અજ્ઞાન માનવી કાચને રત્ન માનીને ઝવેરીને ત્યાં જાય પણ પરિણામે કાચ તે કાચ જ રહે છે. ભાવાર્થ : હે ભવ્ય ! તું જાણે છે કે કાચ ગમે તેવો ચમકતો હોય, તેને ઘણા પહેલ (પાસા) પણ પાડ્યા હોય, રત્ન જેવો દેખાતો હોય તો પણ ઝવેરી તેને જાણી લે છે કે તે કાચ છે. તેની કોઈ કિંમત ઊપજતી નથી. આ દષ્ટાંતથી જીવે જાણવું જોઈએ કે પરમાર્થમાં તે જે સાધના કરે છે તે તેનાં સાધનો પરમાર્થમાત્રને અનુસરતાં છે કે નહિ. લૌકિક ધાર્મિક ક્રિયાઓ કે જે લૌકિક પુણ્યનું કારણ છે તેને જો કોઈ મુક્તિનું સાધન માની લે તો તેણે કરેલો પરિશ્રમ અને વીતેલો સમય પણ વ્યર્થ જાય છે. તે કેવળ ભ્રમને સેવે છે; કે હું ધર્મ કરું છું. ધર્મને પામ્યો છું. ગ્રંથકાર કહે છે કે, પરમાર્થમાર્ગનું સાધન જ્ઞાન છે, સમુદ્રનો પ્રવાસ કરતા નાવિકને ઘોર અંધારી રાતે દીવાદાંડી માર્ગ સૂચવે છે, તેમ સાધકને પરમાર્થના માર્ગે, સંસારના ઘોર અંધકારમાંથી નીકળવા માટે જ્ઞાન પ્રકાશ આપે છે. જ્ઞાનસ્વરૂપ સાધક સાધનાપથમાં આવતા અંતરાયોને જાણી શકે છે. સંયોગોને જાણે છે. છતાં લપાતો નથી. જ્ઞાનરહિત આત્મા અંતરાય આવતાં પાછો પડે છે, અને બાહ્ય સંયોગોમાં ફસાઈ જાય છે. જ્યારે જ્ઞાનનું માહાભ્ય જ એ છે કે તે જીવને હર્ષાદિ પ્રસંગોથી, કર્મના ઉદયથી, વિષય-કષાયના ઉપદ્રવથી પોતાને જુદો જાણે છે – એકરૂપ થતો નથી. આવા અલ્પજ્ઞાન-ગુણરહિત બાહ્ય વ્યવહાર ક્રિયા કરે તો દીર્ઘકાળે પણ પરમાર્થમાર્ગને પામે નહિ, અને જ્ઞાનસહિત કરેલી ક્રિયાથી અંતમુહૂર્તમાં મુક્તિ પામે. અર્થાત્ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ગુણની આરાધના તે પરમાર્થમાર્ગનો વ્યવહાર છે, તે દર્શનાદિ આરાધના માટે વૈરાગ્ય એ મૂળ સાધન ૧૨ આતમ ઝંખે છુટકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy