SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ હા જી'...છું. આહાહા. અને સત્સંગમાંથી ઊઠે અને મિત્રો મળે તો તેમને સત્સંગની વાતો એવી રસપ્રદ કરીને સંભળાવે કે સાંભળનાર પણ કહે “બરાબર” સમજ્યો, શું ? દેહ અને આત્મા જુદા છે. એક દ્રવ્ય બીજાનું પરિણમન કરી શકે નહિ; પરંતુ જ્યાં વ્યવહારના પ્રસંગમાં આવ્યો કે માયા-પ્રપંચ ના છૂટે. લોભની મિત્રતા ટળે નહિ. દેહને ભાવતા ભોજન આદિ ગમે, સ્ત્રી આદિમાં અહંકાર કરે. જ્યાં સુધી પ્રસંગે પ્રસંગે, વર્તને વર્તને, કાર્યો કર્યો પ્રજ્ઞા વડે આત્માને તે પ્રસંગોથી આત્મા ભિન્ન છે તેવી ભાવના દેઢ ન કરે ત્યાં સુધી મુમુક્ષતા ટકતી નથી તો પછી મોક્ષ ક્યાંથી થાય ? સત્સંગમાંથી તે સાંભળેલું તત્ત્વ સાચું છે, પણ તે કેવળ શાબ્દિક ન હોય તેવી ભાવનાથી આચરણમાં ટકવું જોઈએ. તે માટે તારે જગતની પ્રદક્ષિણા કરવાની કે શાસ્ત્રોની સ્મૃતિનો ભાર ઉપાડવાની જરૂર નથી. આત્મધર્મ તે તે સ્થાનોમાં નથી. આત્મધર્મનો મર્મ જ્ઞાનીની નિશ્રામાં પ્રાપ્ત થાય છે. માટે આ ખોટી દોડાદોડી છોડી જ્ઞાનીની નિશ્રામાં અંતર્મુખ થઈને રહે તો આત્મઅનુભવ થવા સંભવ છે. શ્રવણનું સુખ તો પવનના સ્પર્શ જેવું છે. સત્સંગના બોધનું ચિંતન થાય તો ચિત્ત ઉપર તેની છાપ ઊઠે કે હું શુદ્ધ આત્મસ્વરૂપ છું. એ છાપનું ઊંડાણ વધે. આત્મભાવના દેઢ થાય ત્યારે નિદિધ્યાસન થઈ આત્મઅનુભવ થાય તે જીવ ક્રમે કરીને મુક્ત થાય. કેવળ પોપટની જેમ આત્મા છું આત્મા છું એમ કથન કરે શું થાય ? સાકર મુખમાં મૂક્યા વગર સ્વાદ કેમ આવે ? તેમ તત્ત્વના ચિંતન વગર, આત્મભાવના વગર આત્મભૂતિ કેમ થાય ? જો આત્મભાવે વર્તે તો ચિદાનંદમય આત્મા પ્રગટ થાય. આત્માનો શુદ્ધ સ્વભાવ તે જ ધર્મ છે, જે વડે કર્મો નાશ પામે છે. નિજશુદ્ધતા તે જ વાસ્તવમાં મોક્ષ છે માટે શ્વાસે શ્વાસે સમાધિશતક ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy