SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ છે. એવા ભેદજ્ઞાનનો પુનઃ પુનઃ અભ્યાસ કરી સાધક પોતાની શક્તિ અંતરશુદ્ધિમાં પ્રયોજે છે. તે શક્તિ મુક્તિમાં પરિણમે છે. ભેદ વિજ્ઞાન એ મોક્ષનું મૂળ સાધન છે. માટે તેનો અભ્યાસ દઢ કરી જ્ઞાનોપયોગને પરપુદ્ગલથી હઠાવીને સ્વસમ્મુખ કરવો. આત્માનુભૂતિનું કારણ પણ ભેદ વિજ્ઞાન છે. અંતર ચેતન દેખિકે, બહાર દેહસ્વભાવ, તાકો અંતર જ્ઞાનવેં, હોઈ અચલ દઢ ભાવ. છંદ-૬૪ બહારના દશ્યમાન દેહાદિક અને આત્માના અંતરંગ અદશ્યમાન ઐશ્વર્યમાં અંતર છે. માટે અંતરદૃષ્ટિ કરી આત્માનું લક્ષ્ય કરો, તેમાં દઢતા કરો કે હવે આ આત્મદર્શન સિવાય મને કંઈ અપેક્ષા નથી. આત્મજ્ઞાન-દર્શન વગર તપ જપ આદિ કરવાથી શું વળશે ? બાહ્ય પ્રયોજનથી તું ન્યારો છું. સર્વ પ્રકારના અન્યભાવથી આત્મા રહિત છે. આત્મભાવે સ્વયં પ્રકાશિત છે. જગતના શેય પદાર્થોને જાણનારો, જ્ઞાનસ્વરૂપે તું છે, આથી એમ જણાય છે, સર્વને જાણતાં છતાં તું સર્વથી ન્યારો છું. આવા ભેદજ્ઞાન વડે સ્વરૂપમાં સ્થિતિ થાય છે. આત્માનો ઉપયોગ જ્યારે સમ્યમ્ જ્ઞાનદર્શન ચારિત્રરૂપે પરિણમે ત્યારે તે સાચું દર્શન પામે છે. તેથી હવે તેને પરપુગલની ચાકરી છૂટી જાય છે. અને પોતે પોતાના જ સામ્રાજ્યનો સ્વામી બને છે. બહારનો પંચેન્દ્રિયનો પ્રભાવ મીણની જેમ ઓગળી જવાથી જે વાસના અને તૃષ્ણાની પકડ હતી તે છૂટી ગઈ છે. તેથી સાધક હવે અંતરાત્મામાં દૃઢતાથી આગળ વધે છે. અને પોતાના જ સ્વાનંદમાં ઝૂલે છે. તેને હવે ક્યાંયે આનંદપ્રાપ્તિ માટે તડપવું પડતું નથી. જેને ત્રણે કાળને વિષે દેહાદિકથી સંબંધ નથી એવું અસંગ આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં જ્ઞાની હવે ક્ષણમાત્ર પણ ત્યાંથી ખસતા નથી એવો અચલ દઢભાવ હોય છે. पूर्व दृष्टात्मतत्त्वस्य, विभात्युन्मत्तवज्जगत् । स्वभ्यस्तात्मधियः पश्चात्, काष्ठपाषाणरूपवत् ॥५०॥ ૨૦૬ આતમ ઝંખે છુટકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy