SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ હોત વચન મન ચપલતા, જન કે સંગ નિમિત્ત જન સંગી હોવૈ નહિ, તાતે મુનિ જગમિત્ત. છંદ-૫૯ અર્થ : જનસંપર્કના નિમિત્તથી પરસ્પર વાર્તાલાપ થવાથી મન ચંચળ બને છે, તેથી મૌની-મુનિ જનસંગી થતા નથી તે મુનિ જગતના મિત્ર છે. જોકે વિશ્વમાં ભાષા એ જગવ્યવહારનું એક અંગ છે. ભાષારહિત પરોપકાર જેવાં કાર્યો પણ સંભવિત થતાં નથી. મનુષ્યને વિચારશક્તિ સહિત વાચા મળી છે. પરંતુ ક્રમે કરીને મુનિ જેમ આગળની ભૂમિકાએ જાય છે તેમ તે મૌન બને છે. જેમને પોતાનું જ્ઞાનસ્વરૂપ અનુભવમાં આવ્યું તેમને અન્યને ઉપદેશાદિ આપવાના ભાવ થતા નથી. જેને શરીર સાથે સ્નેહ છૂટ્યો તે જગતના વ્યાપાર પ્રત્યે ઉદાસીન રહે છે. સામાન્ય જીવોને પવિત્રાત્માઓના સૂક્ષ્મ અંતરંગના પ્રવાહોનું જ્ઞાન નથી તેઓ એમ જાણે છે કે વચનના વ્યવહાર વગર મુનિઓ જગતના જીવોનું કલ્યાણ કેમ કરી શકે ? ભાઈ ! તું બગીચામાં જાય છે ત્યારે પુષ્પો બોલતાં નથી. છંટાયેલું જળ બોલતું નથી. ધરા બોલતી નથી. એ પોતાના લક્ષણથી પ્રગટ છે. પુષ્પ તને સુવાસ અને જલ તને શીતલતા આપે છે. જો એકેન્દ્રિય જીવોના લક્ષણથી પણ તું આનંદ કે શીતલતા પામતો હોય તો, ચૈતન્યની શુદ્ધતા-નિર્મળતા જ્યાં પ્રગટ થઈ છે તેની અસર કેવી ઊપજે ? તેઓની નિશ્રામાં હિંસક પ્રાણીઓ અહિંસક પરિણામી થઈ જાય. આક્રમક થવાને બદલે શાંત થઈ જાય. અરે તેમની સાથે દષ્ટિ મેળવનારાની દૃષ્ટિનાં વિષ મટી જાય. આથી મૌન મુનિ સાચા અર્થમાં જગતના મિત્ર છે, બાંધવ છે, માત છે, તાત છે. - જનસંપર્ક ઘટી જતાં મુનિની ભાવના શુદ્ધ અને સૂક્ષ્મ બને છે. તેથી તેમને વાચાથી કામ કરવું પડતું નથી. પરંતુ કેવળ તેમની નિશ્રા જ જીવોના કલ્યાણમાં સહજપણે ઉપદેશનું કાર્ય કરે છે. જો પશુઓમાં તેમની નિર્મળતા પરિવર્તન લાવે છે તો ભાઈ ! તું તો સમાધિશતક ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy