SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ દશા ત્રણ પ્રકારની કહી છે : બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આત્માર્થીને બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્મદશાને પામીને પરમાત્માને પ્રગટ કરવો. ભાવાર્થ : બહિરાત્મા = જે આત્મા કેવળ જડ પદાર્થોમાં આસક્ત છે, ઇન્દ્રિયોના સ્પર્ધાદિ વિષયોમાં લોલુપ છે, નિરંતર બાહ્યપદાર્થમાં જ સુખની ભ્રાંતિ સેવે છે તે બહિરાત્મા છે. તેનું મન એક પદાર્થ પરથી અન્ય પદાર્થમાં સુખ મેળવવા ભમતું જ રહે છે. જેની પરભાવ અને પરવૃત્તિમાં રમણતા છે તે બહિરાત્મા છે. તે નીચી દશાવાળો દીન આત્મા છે. બાહ્ય દેહાદિમાં, વિભાવ તથા પર્યાયઅવસ્થામાં જે આત્મબુદ્ધિ કરે છે. વળી, ઉદયમાં આવેલા દ્રવ્યકર્મ અને ભાવકર્મમાં એકત્વ કરે છે તે અવસ્થારૂપે પોતાને માને છે. તેઓ મિથ્યાષ્ટિ બહિરાત્મા છે. અંતરાત્મા : હજી પરમાત્મદશાને પામ્યો નથી, પરંતુ પરમદશાની શ્રદ્ધાવાળો છે તે મધ્યમ એવો અંતરાત્મા છે. જેને આત્માને આત્મારૂપે જાણીને અંતરમાં સુખનું વેદન છે, ઈદ્રિય વિષયોથી જે વિરક્ત છે, દેહાદિકની સુખની આકાંક્ષા જેની ક્ષીણ થઈ છે, ચોથા ગુણસ્થાને આત્મવિશુદ્ધિના આંશિક યોગ - અંતરાત્મપણાનો આરંભ થાય છે. ઉત્તરોત્તર વિશુદ્ધિની વૃદ્ધિ થતાં અંતરાત્મપણું પણ વિશેષતા પામે છે. પરંતુ બહિરાત્મભાવ ટળી જેને દેહાદિથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન થાય છે તે અંતરાત્મા છે. જે અનંત જ્ઞાનાદિ શક્તિઓથી પરિપૂર્ણ થઈ સર્વજ્ઞ વીતરાગ છે તે પરમાત્મા છે. પરમાત્મા = પરમશુદ્ધસ્વરૂપદશા. * અરિહંત અને સિદ્ધ બંને દેવતત્ત્વરૂપ પરમાત્મસ્વરૂપ છે. તે ઉપરાંત, જે જે કેવલી ભગવંતો છે તે પણ પરમાત્મસ્વરૂપ છે તેરમા અને ચૌદમા ગુણસ્થાનવાળા આત્માઓ પરમાત્મસ્વરૂપ છે. જગતમાં જીવમાત્રનું સ્વરૂપ પરમાત્મરૂપ હોવા છતાં જેનાં ઘાતકર્મ નાશ પામે ત્યારે તેમનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થતાં તે પરમાત્મા છે, અને સર્વ આતમ ઝંખે છુટકારો www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy