SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ માત્રે ચૌદરાજલોકની ચારગતિમાં ચૌદ લાખ યોનિમાં યુગો સુધી કેવી યાત્રા કરી છે ? કેવાં દુ:ખદાયી સ્થાનોમાં જન્મ્યો હતો ? નિગોદ જેવી ભયંકર કુયોનિમાં ચિરકાળ સૂતો રહ્યો. નરકનાં ભયંકર દુઃખો સહ્યાં. વળી ત્યાંથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ જેવાં સ્થાવર સ્થાનોમાં ઘણો કાળ ગુમાવ્યો. ત્યાં દટાયો, ઊકળ્યો, ઠર્યો, વાયો અને શેકાયો. ત્યાંથી વળી કીડી-મકોડા જેવી યોનિઓમાં ભટકતો રહ્યો. તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ પશુપણે વન-જંગલ ભમ્યો ક્યાંય પેલા મિથ્યાત્વરૂપી અંધકારમાંથી બહાર ન નીકળ્યો. કાકતાલીય ન્યાયે મનુષ્યપણું મળ્યું. અને જાણે ન જોયેલું જોયું. જે પોતાના આત્મીય નથી તેવા સ્ત્રી-પુત્રાદિ પરિવારને “મારા છે” એમ કહી વળગી જ પડ્યો. અનાત્મભૂત એવા રાગાદિ, મોહ, મમતા, માયા એ પોતાના ભાવો છે તેમ તેમાં જ રાચ્યો. અનેક કુયોનિમાં જન્મેલા જીવમાં રહેલા મિથ્યાત્વના ગાઢ સંસ્કારો, કેવળ અંધકારદશામાં જ રહેલો. જ્યારે તેને માનવજન્મ મળ્યો ત્યારે પેલા સંસ્કારોએ અને અંધકારદશાની પ્રકૃતિ તેને ઘેરી લીધો. એટલે સુધાતુરને જ્યારે આહાર મળે ત્યારે તેના પર તૂટી પડે તેમ, જીવ જે જે સાધનો મળ્યાં તેમાં આત્મભાવે જીવન જીવવા લાગ્યો. પોતે ચૈતન્યસ્વરૂપ આત્મા છતાં અચેતન પદાર્થોમાં રાચવા લાગ્યો. ચેતનભાવને વિસ્મરણ કર્યું ઃ મોહનિદ્રામાં સૂતેલો તે માનવ છતાં વિષય-કષાયજનિત ભાવોમાં પશુપણે જીવવા લાગ્યો. આ જન્મમાં પડેલી કુટેવોનો ગુલામ બનેલો તે કુટેવો છોડી શકતો નથી. મરણિયો થઈને પણ તે ટેવોમાં રાચે છે. રોગનો ભોગ બનવા છતાં તે છોડી શકતો નથી, તેમ જીવ માનવજન્મ પામવા છતાં પૂર્વના મિથ્થા સંસ્કારોને ત્યજી શકતો નથી. કોઈ વાર સગુરુનો યોગ મળે ત્યારે તેઓ વાત્સલ્યથી સમજાવે તોપણ દિશામૂઢ થયેલો જીવ જાગતો નથી. માનસરોવરનાં મીઠાં જળ મૂકી તે મલિન ખાબોચિયાનું પાણી પીવા જાય છે. અરે, મોંઘાં મોતીનો ચારો મૂકી શંખલાને ખાવા દોડે છે. આમ, પોતાના સ્વધર્મને ચૂકીને પરધર્મ, અનાત્મભાવનામાં મૂકીને તે પુનઃ કુયોનિનાં આમંત્રણ સ્વીકારે છે. ૧૫૪ Jain Education International આતમ ઝંખે છુટકારો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy