SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને પ્રાણપ્રશ્ન ઊઠે છે કે હવે તેના વગર જીવાશે નહિ ત્યારે પ્રશ્નનો ઉત્તર મેળવ્યા વગર જીવને જંપ થતો નથી. આવો પ્રશ્નકર્તા જ પરમતત્ત્વનો મર્મ પામે છે. માટે ભાઈ, હવે જ્યાંત્યાં જઈને ફોગટ પ્રશ્નોની પરંપરાને સમાપ્ત કર. અંતરમાં ઠરી જા અને અંતરને ઢંઢોળ કે તને શું પ્રાપ્તવ્ય છે ? ભૂલ સુધારવાની બાજી હજી તારા હાથમાં છે. એક સદ્ગુરુમાં - જ્ઞાનીમાં શ્રદ્ધા મૂક અને તેમના પ્રવચનનું અંજન કરી લે. તારા પ્રશ્નો તને માર્ગ બતાવશે. માટે હવે પ્રશ્ન ઊઠે તો એક જ કે અનંતકાળ થવા છતાં મારી મુક્તિ થઈ નથી. શું કરવાથી થાય ? હું આત્મત્વ ક્યારે પામીશ ? જેને મૃત્યુ નથી તેવા અમરત્વને પ્રાપ્ત કરવા જ્યારે અંતરંગથી પ્રશ્ન ઊઠે છે ત્યારે તે જ વખતે અવિદ્યા નાશ પામે છે અને અંતર પોકારે છે – “સોહં..સોહં.” અંતર જ્યારે પોકારી ઊઠે કે “તૂહી, તૂહી, તૂહી ત્યારે માનવની અભિલાષા પણ માત્ર આત્મત્વ કે પરમતત્ત્વની જ હોય. જ્યાં નશ્વર અને કલ્પિત સ્વપ્નમય ઈચ્છાઓ સમાપ્ત થાય છે, ત્યારે તેના સંસ્કારો બાહ્ય જગતને સ્પર્શતા નથી પરંતુ કેવળ આત્મામાં જ સમાઈ જાય છે. આવા અમરત્વ સ્વરૂપ આત્મત્વની પ્રાપ્તિ માટે જ તારો મૃત્યુલોકમાં જન્મ થયો છે કે જ્યાં મૃત્યુ છે પણ મૃત્યુ પછી જન્મ ન લેવાય તેવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને મુક્તિ થાય છે, જ્યાં કેવળ આનંદમય ચેતન જ શેષ રહે છે. સતને પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા સત્ની નજીક લઈ જાય છે. તેને વિચારબળથી દેઢ કરવી પડે છે અને દેહાદિ મન અને ઇન્દ્રિયોને પણ તે તરફ વાળવાં પડે છે. આત્મવિલોપન અર્થાત્ સર્વ કામનાઓને ચેતનાની ધરામાં દાટી દેવી પડે છે. આવી તીવ્ર જિજ્ઞાસા-ઇચ્છા સાધકને નિરાશા, સંશય કે ભ્રમથી મુક્ત કરી આગળનો માર્ગ બતાવે છે. અને દેહાત્મબુદ્ધિનો ભ્રમ નાશ પામે છે. અજ્ઞાન, અવિદ્યાનો ત્યાગ થઈ જાય છે. મિથ્યાત્વ જેવા દોષો ટળી જાય છે. સારભૂત આત્મા જ પ્રગટ થાય છે. મારે ઉચ્ચાર કરવો છે તો આત્મા વિશે કરવો. પ્રશ્ન કે સંશય ઊઠે તો આત્મા માટે જ, સમાધિશતક Jain Education International ૧૪૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy