SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જ ગીત ગાયા કર. કદાચ તું આ જગતમાં દોડાદોડ કરીને ઘણું ધન કમાઈશ અને તેની કથા કરીશ, તો પણ તે તને આત્મહિત નહિ કરે. તને કદાચ ઘર, પરિવારની કથા ન છૂટે ત્યારે તું વિચાર કરજે, આ તો પંખીના માળા જેવું છે. સૌએ છૂટા પડવાનું છે માટે મારે એમની કથા શી કરવી ? મારે તો એક જ રટણ કે ‘સચ્ચિદાનંદ...સચ્ચિદાનંદ.’ રાગાદિભાવથી પ્રેરાયેલો તું તેની જ કથા કરે છે અને અન્યને પણ રાગાદિભાવ કરાવે છે. તું મુખથી બોલે છે કે એ સૌ મારા છે અને હું તેઓનો છું. પણ તારા હૃદયને પૂછ તો ખરો કે તેં એવું જોયું છે કે ચિરવિદાય લેનારાને તું રાખી શક્યો હોય ? કે તને તે સાથે લઈ જઈ શક્યા હોય ? જો એવું નથી બનતું તો પછી હવે ‘મારા-તારાનું' રટણ છોડ અને એક જ શબ્દ બોલ્યા કર – સહજાત્મસ્વરૂપ... સહજાત્મસ્વરૂપ. જો એક વાર આ દૃઢ નિર્ણય થયો કે હા, વાત તો સાચી છે કે હું દેહાદિ સ્વરૂપ નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. છતાં તને સાધકઅવસ્થામાં મૂંઝવણ આવશે. અને વળી પરકથામાં ચિત્ત જશે, ત્યારે તું કોઈ અનુભવી જ્ઞાની સંત પાસે દોડી જજે અને આત્મલક્ષ્યની પૃચ્છા કરજે. ભગવંત્ ! હું કોણ છું ? મારું સ્વરૂપ શું છે ? મારે મને જ પામવો છે. આ દોડાદોડ સમાવવી છે. આવા પ્રાણપ્રશ્નો ઊઠે ત્યારે તને પરમતત્ત્વની પ્રાપ્તિ થશે. - ભાઈ ! જ્ઞાનસ્વરૂપ એ તો અચિંત્ય શક્તિ છે. એ અવ્યક્ત, અવાચ્ય અને અદ્ભુત રહસ્ય છે. તે તને અનુભવી પાસેથી મળશે. જ્યાં મતિની ગતિ નથી એવું અંતિમ સ્થાન છે, જ્યાંથી પાછા ફરવાનું નથી. અનંતકાળ કેવળ જ્યાં સુખ જ છે, દીર્ઘકાળની દુ:ખદ યાત્રા અહીં સમાપ્ત થાય છે. સ્થળ-કાળથી અબાધિત કોઈ પણ સાધક પહોંચી શકે તેવું આ અંતરનું સ્થાન છે. તેની પ્રાપ્તિ માટે જ્યારે આતમ ઝંખે છુટકારો ૧૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy