SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કેવળ આત્મત્વ આરાધે છે. અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમ રૂપ; તી પદ કરી કયું પાઈએ, અનુભવ ગમ્ય સ્વરૂપ. છંદ-૪૩ દશ્યજગતના વિચિત્ર ભેદને જે જાણતો નથી તેને આ જગત દેહાકાર-પૌગલિક જણાય છે. કર્મપ્રકૃતિથી ગ્રહણ થયેલા લિંગને આત્મારૂપ માને છે. કે જે સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગોરૂપ આત્મા છે નહિ. આત્મા જ દેહાદિ એકક્ષેત્રમાં રહ્યો છે છતાં પણ લક્ષણથી અત્યંત ભિન્ન છે. સ્ત્રી આદિ લિંગ એ દેહના ભેદ છે. તેવાં સ્થાનો જીવ અનેક વાર પામ્યો પરંતુ તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, માટે એવા ભેદમાં ભરમાયા વગર પ્રગટ અનુભવગમ્ય છે તેવા સ્વરૂપને જાણવું. આવા લિંગના ભેદરહિત આત્મસ્વરૂપ છે, તે પદની અભિલાષા રાખીને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી. આતમગુણ અનુભવતભી, દેહાદિક સે ભિન્ન; ભૂલે વિભ્રમ વાસના, સો ન ફિરે ખિન્ન. છંદ-૪૪ અંતરાત્મા નિર્જરરૂપ તપના અનુભવથી પોતાને દેહાદિકથી ભિન્ન માને છે. અનશન : આહારનો ત્યાગ સમયની મર્યાદા સહિત. ઉણોદરી : ભૂખ કરતાં ઓછું ખાવું. વૃત્તિસંક્ષેપ : ઓછા પદાર્થ ખાવા. રસત્યાગ : સ્વાદના જય માટે દૂધ, દહીં જેવા પદાર્થોનો ત્યાગ કરવો. આ ચાર બાહ્યતપ વડે સાધક આહારશુદ્ધિ દ્વારા કાયાને સંયમમાં રાખે છે. સંલિનતા કે કાયક્લેશ જેવા પ્રયોગથી દેહભાવથી પોતાને ભિન્ન અનુભવે છે. અત્યંતર તપ દ્વારા મનમાં પડેલી વાસનાઓ ક્ષય કરે છે, ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા આત્મવિશુદ્ધિને ધારણ કરે છે. વાસનારૂપી છિદ્રો પુરાઈ જવાથી સાધક પરમાર્થ માર્ગે વણથંભ્યો આગળ વધે છે. તેને વાસનાઓ ઉત્તેજિત કરતી નથી. તેથી તે તપાદિ ગુણનો આરાધક ક્યારેય પણ ખિન્ન થતો નથી. ' તપાદિ ધર્મનું ફળ રોકડું છે, આ જન્મમાં તપ કરે અને બીજા જન્મ ફળ મળે તે તો ભૌતિક ફળની વાત છે, પણ તપનો જે ૧33. સમાધિશતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy