SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ કાચનો ટુકડો તેને હીરા જેવો લાગે છે તેમ સાચું તેને ખોટું જણાય છે. અને સંસારના રંગરાગ વધ્યા કરે છે. સશાસ્ત્રના બોધ વગર સમય વહ્યો જાય છે, અને જીવ પણ એ પ્રવાહમાં તણાયો જાય છે. અને નિરંતર એનાં એ જ કાર્યો તરે છે. અને તે દ્વારા તેનાં ફળ ભોગવે છે. તૃષ્ણા દ્વારા તેનો સંતોષગુણ હણાય છે. નામરૂપમાં મોહ પામીને સ્વરૂપને ભૂલી જાય છે. મોહ બાગુરી જાલ મન, તામે મૃગમત હોઉં; યા મેં જે મુનિ નહિ પરે, તાકુ અસુખ ન કોઉં. છંદ-૪૦ અર્થ : મોહરૂપી બાજીગરની જાળમાં જે મગ્ન થતો નથી તેવા મુનિ ઉત્તમ આત્માઓ પરપદાર્થમાં – સુખનો ભાવ કરતા નથી, તેથી તેમને સંસારમાં કંઈ જ દુઃખ હોતું નથી. અજ્ઞાન આત્મા મન અને ઇન્દ્રિયો સુધીના પ્રદેશથી પરિચિત છે, અને તેમાં મોહરૂપી બાજીગરની જાળમાં ફસાઈને આત્મા તેને વશ વર્તે છે. અનેક મુદ્ર વાસનામાં મગ્ન રહે છે. પરંતુ એ જાળને ભેદીને જે ઉત્તમ આત્માઓ સ્વરૂપ પ્રત્યે વળે છે, ત્યારે આત્મા મન કે ઇન્દ્રિયોને વશ રહેતો નથી. પરંતુ તેવી વાસનાઓથી ઉપર ઊઠે છે. એવા શુદ્ર કોચલામાંથી તે બહાર નીકળે છે. ત્યારે સ્વરૂપમાં રહેલી શુદ્ધતાનો તેને સ્પર્શ થાય છે. તે મુનિ જ્યારે પરભાવથી મુક્ત થઈ સ્વભાવને પામે છે. ત્યારે તેમને કોઈ પણ પ્રકારનું દુઃખ સ્પર્શી શકતું નથી. આ વિશ્વમાં માનવ માટે મોહ જેવો બીજો જાદુગર (બાગુરી) નથી. તેની જાળ એટલી વિશાળ છે કે જેનો સમસ્ત વિશ્વમાં પથારો પ્રસિદ્ધ છે. મોહજનિત સંસ્કારથી જીવ જ્યાં જન્મ પામે છે ત્યાં તે તે પ્રકારની પ્રકૃતિને આધીન થઈને જીવે છે. એટલે જીવન-ઉપયોગી કળાકૌશલ્યમાં આપણી જેટલી સાન હોય છે તેટલી પણ આ મોહના ક્ષેત્રમાંથી મુક્ત થવાની હોતી નથી. પરંતુ જે મોહરૂપી બાજીગરની જાળમાં ફસાતા નથી તેવા ૧૨૪ Jain Education International આતમ ઝંખે છુટકારો www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy