SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ તેની તુલના કરે છે. અરે એક તરંગ કહે છે કે ધર્મ કરવા જેવો છે. બીજો તરંગ કહે છે કે હમણાં જરૂર નથી. કોઈ પ્રસંગે મન કહે છે કે આ માયા કરવા જેવી નથી, તરત જ બીજો વિકલ્પ હાજર થશે કે વાંધો નહિ સંસારમાં માયા-પ્રપંચ ચાલ્યા કરે. ક્યારેક કોઈ જીવને આજીવન બ્રહ્મચારી રહેવાના ભાવ થાય છે. ત્યારે કોઈ સંસ્કાર મનને કહે છે હમણાં એવી જરૂર નથી. અને જીવ અબ્રહ્મ સેવતો થઈ જાય છે. જડ અને ચેતન પદાર્થોમાં અનંત શક્તિ છે. પરંતુ જડ કરતાં ચૈતન્યની શક્તિ મહાન છે. વળી અન્ય પણ બીજી ઘણી શક્તિઓ છે. જાણવાની, જોવાની અને અનુભવવાની શક્તિ માત્ર ચૈતન્યમાં છે. આપણે આપણા જીવનનું માપ સક્રિયતા દ્વારા કાઢીએ છીએ. પણ પેલા છૂપા સંસ્કારવાળા મનને જાણતા નથી જે સમય આવે સક્રિય મનને ફગાવી દે છે. માટે મનનાં મૂળ મંતવ્યોનું કે વલણોનું પરાવર્તન જરૂરી છે. બહારથી આવતી મલિનતા પહેલાં અટકાવો પછી ભાવમન શાંત થતાં સંસ્કારિત બની ગયેલી મલિનતા પણ દૂર થશે. આમ, ચેતનાની શુદ્ધિ પૂર્ણપણે વિકાસ પામે છે. આવા મનને આત્મજ્ઞાન વડે નાથી શકાય છે. अपमानादयस्तस्य, विक्षेपो यस्य चेतसः । नापमानादयस्तस्य, न क्षेपो यस्य चेतसः ॥३८॥ અપમાનાદિ ન તેહને, જસ મનને વિક્ષેપ, અપમાનાદિ ન તેહને, જસ મન નહિ વિક્ષેપ. ૩૮ અર્થ : જેનું ચિત્ત વિક્ષિપ્ત છે તેને માન-અપમાન જણાય છે, પરંતુ જેનું ચિત્ત સમતામય છે તેને માન-અપમાન કંઈ ક્ષેપ કરતા નથી. રાગાદિ ભાવથી જેનું ચિત્ત વિક્ષિત (ચંચળ) છે, તેને બાહ્ય પરિસ્થિતિ કે સંયોગો ક્ષોભ પમાડે છે, ચિત્તની અવસ્થાના ટુકડા કરી નાખે છે. પાતળી કાચની બરણીની માફક ચિત્તમાં વ્યાકુળતાની તિરાડ પડે છે. જીવ વ્યગ્ર થઈ જાય છે. માન સમયે પોતે મોટો સમાલિશતક Jain Education International ૧૧૩ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy