SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનના દ્રવ્યાનુયોગનું આંશિક કથન ૧૯૩ રૂપી-અરૂપી, જડ-ચેતન સત્-અસતુ, અવિનાશી-વિનાશી વગેરે. સ્વને જાણે તે ચેતન, જે સ્વને જાણે તે વિરોધી તત્ત્વ એવા પરને જાણે, કારણ કે ચેતન જ્ઞાનસ્વરૂપ છે. અજ્ઞાન એટલે સ્વને ન જાણે પરને જાણે. સ્વને જાણવા પ્રયત્ન ન કરે એવું અજ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાન સ્વયંભૂ નથી. યદ્યપિ અજ્ઞાનને આધાર તો આત્માનો છે. - અવિનાશી તત્ત્વનો (દ્રવ્યનો) આધાર લઈ વિનાશી તત્ત્વનો ઉત્પાદ વ્યય આધેયરૂપ રહે છે. વિજાતીય તત્ત્વ વગર અવિનાશી તત્ત્વ રહી શકે છે. સ્વભાવની અપેક્ષાએ ઉત્પાદ વ્યયનો અભાવ થાય, પણ ઉત્પાદક એવા આત્મદ્રવ્યનો નાશ ન થાય. છબસ્થને પણ જ્ઞાનમાં અવિનાશીપણાની ઝલક આવે છે. ગઈ કાલે હું હતો (બાળવય વગેરે). આજે હું છું. અને કાલે હું આવા કામ કરવાનો છું, એટલે કાલે પણ હું હોઈશ. આમ ત્રણે કાળમાં આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે. ત્રણે કાળને આત્મા જાણે છે. છતાં કાળથી આત્મદ્રવ્ય ભિન્ન છે, આત્મા કાળનો જ્ઞાતા છે. કર્તાભોક્તાભાવો વચ્ચે જીવ ત્રણે કાળે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. વિનાશી તત્ત્વનું કાર્ય અવિનાશી તત્ત્વોને છુપાવી રાખે છે. વિનાશીપણું જાણે સર્વસ્વરૂપ છે તેમ આત્મામાં ભ્રમ પેદા થાય છે. આ ભૂલ સુધરે આત્મદ્રવ્ય સ્વભાવરૂપે નિરાવરણ બને છે. માટે દૃષ્ટિ વૈકાલિક ધ્રુવ અવિનાશી દ્રવ્ય પર સ્થિર કરવાની છે. વિનાશી દ્રવ્યો પરથી દૃષ્ટિને વિમુખ કરવાની છે. ત્યારે દ્રવ્ય, ગુણ, પર્યાય અભેદપણે પ્રગટ થાય છે. તે મુક્તાવસ્થા છે. જાનો ઉપદેશ છે ' જે કંઈ કરું એમાં જગતને ભૂલો જાતને જ ભૂલો આ | દરેક પ્રવૃત્તિ પાછળ ચાલ્યા જસાત્માનું સ્મનિરતર રહેતું હોય દરેક પ્રવૃત્તિમાં સંકળાયેલું રહે તો અધ્યાત્મ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001994
Book TitleSwaroopsadhnana Sopan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy