SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રાધિરાજી [૧૫૬] આત્માનો મૂળ સ્વભાવ જ એવો છે કે દેહધારીનું મન તેને છોડવા તૈયાર નથી. ફરક એટલો છે કે અજ્ઞાની એ બધા જ સ્વભાવને દેહમાં સ્થાપિત કરવા ચાહે છે. અમર ગુણ આત્માનો, જીવ દેહમાં તેનો આનંદ લેવા પ્રેરાય છે. પોતાના શરીરને ક્ષીણ થતું જુએ છે, અન્યના શરીરના શબને જુએ છે તો પણ પેલો સંસ્કાર છૂટતો નથી. આવા અજ્ઞાનને કારણે જીવ પુનઃ પુનઃ ગર્ભવાસમાં આવે છે, જીવનયાત્રા પૂરી કરી સ્મશાનઘાટે પહોંચી વિરામ લે છે. કોઈ વિરલ જીવોને આ વાત સમજાય છે કે હું સાક્ષાત્ ચૈતન્ય સ્વરૂપ છું. | [૧૫૭]. ચૌદરાજલોકનો સ્વામી બને, પૂર્ણજ્ઞાતા દ્રા બને એવા ચૈતન્યને મોહવશ ક્યાં પૂરી દીધો? સંસારીઓએ મોટી ઇમારતો બાંધી તેના માલિક બની તેમાં પૂર્યો. સંતમહંતોએ પવિત્ર સ્થાનોનું નિર્માણ કરી, કર્યાનું કર્તાપણું સેવી, નામના કરી કરાવીને એવા સ્થાનોમાં પૂર્યો. સંસારમાં એક પત્ની એક મકાન છોડી તેણે કેટલા ઓરડા ઊભા કર્યા? એક ટિકિટ ઋણાનુબંધથી મળેલી તેને મૂકી કેટલી ટિકિટો સાચવવાની ઊભી કરી? એમાં જો તારો સાક્ષીભાવ નથી તો આ બધી માયાજાળમાં ફસાયો છું તેમ માની સત્વરે આત્મસંવિધાનમાં લાગી જા. [૧૧૮] જીવને મળેલું શરીર કમ્દય છે. શરીર સાથે રહેલા કામણશરીર અનેક સંસ્કારના બીજવાળું છે, એ દરેક બીજમાં અનેક જન્મો પેદા કરવાનો સંસ્કાર પડ્યો છે. તેના ફળ ભોગવવાના સંસ્કારો રહ્યા છે. આ કર્મરૂપી બીજનો અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી જીવના દેહોનો અગ્નિસંસ્કાર થતો રહેશે. જ્ઞાન એક જ સાધન એવું છે જીવના દેહાદિ ક્લેશોને મૂળમાંથી નષ્ટ કરી શકે. [૧૫] અંધકારને કોણ જાણે ! અંધકારને અંધકાર જાણતો નથી અંધકારને પ્રકાશ જાણે છે. અજ્ઞાનને કોણ જાણે? અજ્ઞાનને અજ્ઞાનરૂપે ૪૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy