SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સંભવ નથી. માટે પ્રશસ્ત રાગને ધર્મ માની તેમાં એવી તન્મયતા ન હોય કે જેથી મૂળ વીતરાગ દશા જ ભૂલી જવાય. [૧૪૨ સમ્યજ્ઞાન કે ભેદજ્ઞાનનો મહિમા શું છે? સમ્યગુજ્ઞાની કે ભેદજ્ઞાની જ્યારે ઇન્દ્રિયો દ્વારા પરપદાર્થોને પરપર્યાયોને જાણે, જુએ કે અનુભવે, વળી પ્રશસ્ત અપ્રશસ્ત રાગાદિને અનુભવે, આગળ વધી પોતાની શુદ્ધ પરિણતિરૂપ પર્યાયોને અનુભવે ત્યારે તેમાં ઈનિઝ બુદ્ધિ કરતા નથી, કારણ કે તેમની દૃષ્ટિ કેવળ શુદ્ધ અખંડ ચૈતન્ય પ્રત્યે છે. વિભાવ કે સ્વભાવ પરિણામોને જાણવા છતાં અપર ઉભય સ્વરૂપ પરિણમતા નથી. હેય - ઉપાદેયયુક્ત નિર્મળ સમ્યગ્દષ્ટિવાનની આ ઉચ્ચ દશાનો મહિમા છે. [૧૪૩] જો તને જિનાજ્ઞા-શાસ્ત્રજ્ઞાના પાલનમાં રસ છે તને તો જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવમાં રહેવાની ભાવાજ્ઞાના પાલનમાં રુચિ-રસની દઢતા થશે. રોગ, વિયોગ, ઉપસર્ગ, પ્રતિકૂળતા, તીવ્ર વેદના વિગેરેમાં શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પરિણમી હોય તો જ્ઞાતા દ્રષ્ટાભાવ આત્મસાત્ થયો હોય છે તેમ જાણવું. કેવળ નિશ્ચયનય સાંભળવાનો નથી પણ નિશ્ચયમાન્ય આત્મસ્વભાવે પરિણમવાનું છે. કેવળ સાંભળવા બોલવાથી કે સંભળાવવાથી કંઈ જીવની મુક્તિ થવાની નથી. [૧૪] ઉદાહરણઃ જ્યાં સુધી તું હજી કેવળ નિશ્ચયદષ્ટિને પાત્ર નથી થયો ત્યાં સુધી જિનાજ્ઞા જેવા વ્યવહારનય પ્રયોજનવાન છે. એક ઉદાહરણ વિચારીએ. કુમારપાળ જંગલમાં ગામ નગરમાં ભટકતા હતા. એક વાર ખંભાતમાં શ્રી હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે આશ્રય શોધતા આવી ચઢ્યા. તે જ સમયે સિદ્ધરાજના ઉદયન મંત્રી વંદનાર્થે આવ્યા. આચાર્યશ્રી કુમારપાળની મુખમુદ્રા જોઈને તે ભાવિ રાજ્યકર્તા છે તેમ જાણી ગયા. [૧૪પ. તે દિવસોમાં સિદ્ધરાજ મહારાજાનો આદેશ હતો કે કુમારપાળને જીવતો પકડી લાવશે તેને ઇનામ મળશે અને આશ્રય આપશે તેને ૪૦ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy