SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયમાં રહેવા પ્રયત્ન કરે. સંયમ સ્વીકારી જે કોઈ ઉપસર્ગો કે પરીષહો આવે તેને સહન કરીને આત્યંતિકપણે રાગાદિનો નાશ કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે અર્થાત્ પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે. [૮૮૮] આવા કાઉસ્સગ કે જે અરિહંતોએ જીવનમાં આચરીને રાગાદિનો સંપૂર્ણ નાશ કર્યો, એવું કાઉસ્સગ તપ અનંતી પુણ્યરાશિથી આપણને મળ્યું છે. યદ્યપિ વર્તમાનમાં આ રીતે કાઉસ્સગ કરાતો નથી. આજે જ્ઞાનનો અભ્યાસ ખૂબ જ ઘટી ગયો છે. તેથી કાઉસ્સગ મુદ્રામાં ચિંતન મનની શક્તિ રહી નથી. તેના કારણે જીવો અશુભ ધ્યાનના વિચારો ન કરે તે કારણથી જ્ઞાની ભગવંતોએ લોગસ્સ અને નવકારના કાઉસ્સગનું વિધાન કર્યું. જેથી રાત્રિ દિવસના પાપનું પ્રાયશ્ચિત્ત થાય. તેની ગણત્રીનો ક્રમ આપ્યો છે. તે પણ શ્વાસોચ્છવાસની ગણત્રી સાથે છે. પરંતુ આ પદ્ધતિ નહિવત્ થઈ ગઈ એટલે આત્મશુદ્ધિની અનુભૂતિ કરી શકતા નથી. [૮૮૯] જેનશાસનના દરેક અનુષ્ઠાનમાં કાઉસ્સગનું માહાત્મ છે. જેટલો સમય કાઉસ્સગમાં રહે તેટલા સમય રાગાદિ પરિણામ નાશ પામે. દેહનું મમત્વ ઘટે, ભેદજ્ઞાન પ્રાપ્ત થતું જાય, જેટલા કાઉસ્સગ વધારે તેટલી ભેદજ્ઞાનની સ્થિરતા વધે, રાગાદિનો નાશ થાય અને જીવ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે. [૮૯૦) લોગસ્સ ભણી ન જ શકે તેને માટે નવકારના કાઉસ્સગ છે. કાઉસ્સગથી વંચિત ન રહે તેને એક લોગસ્સ બરાબર ચાર નવકાર કરવાના છે. એક નવકારના આઠ શ્વાસોચ્છુવાસ થાય, ત્રણ નવકારના ચોવીસ થાય, પચીસમા શ્વાસોચ્છવાસ માટે ચોથો નવકાર ગણવાનું વિધાન છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસ એ રીતે ગણાય [૮૯૧] ભોગતૃષ્ણાનો અંતરમાં સળગતો દાવાનળ મોક્ષમાર્ગની સાધનાને પણ સળગાવી દે છે. આત્મા સ્વયં મોક્ષસ્વરૂપ છે, માટે મોક્ષ સાધનાને ૨૪૪ અમૃતધારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy