SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ સીસ દીયે ગુરુ મિલે તો ભી સસ્તા જાન’ આથી ઉત્તરાધ્યયન જેવા મહાન ગ્રંથમાં પ્રથમ અધ્યયન વિનયનું જૈન દર્શનનું શિક્ષણ નમોથી શરૂ થાય છે. [૮૪૮] નમો અરિહંતાણે. જેમ દીપકથી દીપક ચેતતો આવ્યો છે તેમ ગુરુપદેશ દ્વારા જ્ઞાન થતું આવ્યું છે, તે વાર્તા અનાદિ છે, છતાં સદ્ભુત વ્યવહારમાં કોઈ સમ્યગુજ્ઞાનમય સ્વભાવવસ્તુની પ્રાપ્તની પ્રાપ્તિ થયા પછી એ અપૂર્વ ઉપકારનો લોપ કરી ગુરુના નામને પ્રસિદ્ધ કરતો નથી, તે મહાપાતકી, મિથ્યાદૃષ્ટિ છે. અર્થાત્ ગુરુપદને ગુપ્ત રાખવું તે, ઈષ્ટ કે શ્રેષ્ઠ નથી.” [૮૪૯] જેમ ગંગા જમનાદિક નદી સમુદ્રની સાથે મળી છે તે જ પ્રમાણે ગુરુ ઉપદેશ પામીને સમ્યગ્દષ્ટિ જિનેન્દ્ર સાથે તન્મય થાય છે. જેમ કોઈને ચંદ્રદર્શન કરાવવા અંગુલીથી નિર્દેશ કરે છે તેમ ગુરુ ઉપદેશ દ્વારા સાધકને સ્વસ્વરૂપનું ભાન કરાવે છે. [૮૫] જેમ પુષ્પમાં સુગંધ છે, તલમાં તેલ છે તેમ આ લોકાલોકમાં તથા તનમનવચનમાં અને તેના શુભાશુભ વ્યવહારકર્મ છે તેમાં અતન્મયપણે સહજ સ્વભાવથી સમ્યગુજ્ઞાન છે. એ શુભાશુભ વિકાર ભાળીને તેનાથી ગ્લાનિ કરીને સ્વસમ્યગજ્ઞાન રત્નને તન્મયરૂપ ધારણ કરતો નથી તે મિથ્યાષ્ટિ છે. જેમ સૂર્ય સૂર્યની અંદર છે તેમ રત્નત્રય સ્વભાવમાં છે તેને ધારણ કરવું, કેવળ શુભાશુભ વિકારમાં અટકી ન જવું. [૮૫૧] સૂકા ઘાસના મોટા ઢગલાને એક અગ્નિકણ અનુક્રમથી બાળીને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે કોઈ જીવને ગુરુ ઉપદેશથી એક સમય માત્રમાં સમ્યગુજ્ઞાનાગ્નિ તન્મયરૂપ લાગી જાય છે તો અષ્ટક બળી જાય છે, ત્યાર પછી જે બાકી રહે છે તે જ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય ૨૩૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy