SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ય તેટલાં બાહ્ય કમ ઘટાડવા નિષ્પાપ જીવન જીવવું. [૮૪૨] ધ્યાનના અનેક પ્રકાર છે. અશુભ ધ્યાનથી છૂટવા મંત્રાદિ શુભધ્યાન છે. ચિત્તની એકાગ્રતા માટે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનમાં ધારોકે વિપાક-વિચય કર્મના ફળનું ચિંતન કર્યું, એકાગ્રપણે ધ્યાન કર્યું, તે પરિણમનરૂપે થયું હોય તો જીવનમાં નાનાંમોટાં જે પણ કષ્ટો આવે, દુઃખો ઉપસર્ગો, સંકટ, પરીષહો આવે ત્યારે કર્મના ફળને દ્રષ્ટાભાવે જાણી ચિંતનમાં ટકે તો તે ધર્મધ્યાન આવે. વિવિધ પ્રકારના નિમિત્તો મળવા જ્યારે મનમાં રાગાદિભાવો જાગે ત્યારે તેના પ્રત્યે ચિત્ત લઈ ન જતાં ચિંતનમાં ટકે તો ધર્મધ્યાન આવે. [૮૪૩] અપૂર્ણતામાં રહેલો પૂર્ણતાના લક્ષ્ય પોતાનામાં પૂર્ણતાની શ્રદ્ધા કરે છે. એ પૂર્ણતાની દઢતાથી અપૂર્ણતાના ખ્યાલો છૂટી જવાથી તેને વસ્તુ, સંયોગ, દુઃખ, દર્દ સ્પર્શતાં નથી. એટલે તો મહાત્માઓ દેહ બળે, કપાય કે વીંધાય તો પણ સ્વરૂપમાં જ તન્મય રહેતા. દુઃખથી મુક્ત એવા આનંદમાં રહેતા. પૂર્ણતાના આશ્રયનો આનંદ એટલે દર્દ દુઃખ પીડાથી મુક્ત એવો આનંદ. અરે પૂર્ણતાની પ્રાપ્તિના પ્રયત્નમાં પણ આનંદ, અનાદિ અનંત છું માટે આનંદ, દેશકાળની સીમાથી પર એટલે આનંદ. દેહ છતાં સગા સગપણથી અસંગ એટલે આનંદ. દેહથી ભિન્ન છું માટે આનંદ. પ્રભુની કૃપા વરસો અને આ દશા પ્રગટો. દેહને ચૈતન્યથી છૂટો પાડવાનો અભ્યાસ ગુરુગમે કરી પૂર્ણ સ્વરૂપને પામીએ. [૮૪૪] જીવને સર્વજ્ઞદેવ – પરમાત્મતત્ત્વનું સત્ જ્ઞાન, ભાન કે દર્શન નથી ત્યાં કેવો છેતરાય છે? કોઈ સંગમના આરે જઈ સ્નાન કરે, ત્યાં આડેધડ ગોઠવેલા ચિત્ર વિચિત્ર આકારોને પૂજે. ગંદકી, ભીડ, બજાર મેળાઓમાં ભટકે અને દર્શનનો ભ્રમ સેવે. તેવા દોડતા જીવોને કહો શાંત, નિર્જન સ્થાન, એકાંત પવિત્ર સ્થળે શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરો, તે જીવને નહિ . પોતે દર્શન પામ્યો કે નહિ તેનું પણ તેને ૨૩૨ જ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy