SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ રોકાયો હોય ત્યારે પણ તે પરમાં તન્મયપણે જાણતો નથી. અંતરથી તો ઉપયોગ ત્યારે પણ પરભાવથી જુદો વર્તે છે સ્વમાં તન્મયતા છૂટતી નથી. આવી અંતરદષ્ટિને અંતરદષ્ટિવાળો જ જાણે. મોક્ષમાર્ગીને જ આવી અંતર લગની હોય. [૮૧૬] મોક્ષમાર્ગ અતિ ગહન છે, એટલે જ તો મોક્ષાર્થીપણું સામાન્ય માનવીમાં પ્રગટ થતું નથી. વળી મોક્ષના અભિલાષીને આગળ વધતાં અનેક આંતરિક અંતરાયો આવે છે. સંપૂર્ણ શુદ્ધિને માર્ગે જવામાં અંતરની દૃઢતા જોઈએ છે. પૂર્વના સંસ્કારોની અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. પૂર્ણ જાગૃતિનો આ માર્ગ છે. [૮૧, સંસારની પ્રવૃત્તિ અપેક્ષાએ સ્થિરતાપૂર્વકની ચાલ્યા કરે છે. તેને પલટવાની છે. યદ્યપિ આત્મામાં મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી ઉપાદેય પદાર્થોની પ્રવૃત્તિમાં સ્થિરતા આવતી નથી. દેવ, ગુરુ અને ધર્મ કલ્યાણકારી છે તેમાં સ્થિરતા કેટલી? જ્ઞાન શ્રદ્ધાને લાવનારું, દઢ કરનારું છે તેમ ક્રિયા સ્થિરતાને લાવનારી છે. એકલું જ્ઞાન ધ્યાનની સ્થિરતા લાવતું નથી. વારંવાર એકાગ્રપણે ક્રિયા કરવાથી સ્થિરતાના સંસ્કાર દઢ થાય છે. [૮૧૮] નિજસ્વરૂપ જે કિરિયા સાધ તેહ અધ્યાતમ લહીયે રે જે કિરિયા કરી ચઉગતિ સાધ તે ન અધ્યાત્મ કહીયે રે.” (શ્રી આનંદધનજી) કોઈ પણ અનુષ્ઠાનના માધ્યમથી અંતરબાહ્ય જે ક્રિયા થાય તેનું લક્ષ્ય માત્ર નિજસ્વરૂપ જ હોય. [૮૧૯] “અધ્યાતમ જે વસ્તુ વિચારી બીજા જાણ લબાસીરે (લબાસી - યુનિફાર્મ – ગણવેશ – ટોળું) સ્વસ્વરૂપમાં જે જઈ શકે તે અધ્યાત્મવાન અન્ય તો માત્ર ગણવેશમાં - લોકસંજ્ઞામાં છે. ૨૨૬ જ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy