SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આ સર્વ ક્રિયા પ્રેરક ભલે આત્મા હો પરંતુ તે પૌગલિક પદાર્થોમાં માન, લોભ, લોલુપતા જેવા દોષોથી દૂર રહે ને આત્મભાનથી જીવનમાં ફેરફાર કરે તો શરીરાદિ બાહ્ય સાધન વડે આત્મહિતને સાધી શકે. શરીરાદિની આસક્તિ છોડે અને આત્મસ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરે તો આત્મબળ વડે ભવસમુદ્ર તરી શકે. શરીરબળ એ વાસ્તવિક બળ નથી. [૫૩] આત્માના ત્રિકાળી ધ્રુવનું સામર્થ્ય અનંત અને અટળ છે, જેના લક્ષે જીવમાં કેવળ જ્ઞાનાદિ પ્રગટે છે. પવનના નિમિત્તે સમુદ્રનાં પાણી મોજા રૂપે ઊછળે છે તે તેની ઉપરની અસ્થિર સપાટી છે. તેની અંદરમાં સ્થિર સપાટી હોય છે એટલે સાગર ગંભીર કહેવાય છે. અસ્થિરતા ઉપરની છે. અંદરમાં સ્થિરતા છે. તેમ જીવદ્રવ્યથી અંતરંગ દશા ધ્રુવ, અચલ સ્થિર છે. પર્યાયમાં ઉત્પાદ વ્યય છે. [૭૫૪] સાધકદશામાં તત્ત્વના નિર્ણયમાં હેય-ઉપાદેયનો વિવેક સમ્યક પ્રકારે હોય છે, ત્યારે પરતત્ત્વ જે અજીવરૂપ છે તેની હેયતા હોય છે, જીવાદિ તત્ત્વો જે નિજસ્વરૂપ રૂપ છે તેની ઉપાદેયતા છે. સવિશેષ નિજસ્વરૂપની ઉપાદેયતા દૃઢ થતાં સાધક નિર્વિકલ્પ દશાનો અનુભવ કરે છે. જે દશામાં હેય-ઉપાદેયનો વિકલ્પ શમી જાય છે. આમ હેય ઉપાદેયતાનો વિવેક જાણવો પ્રયોજનભૂત છે. આત્મા ઉપાદેય છે તે શ્રુત વિકલ્પ છે, એ પરમાત્મરૂપને ભાવે તે ભાવ શ્રુત છે, તેવા અનુભવથી નિજપદ સાધ્ય થાય છે. [૭૫૫] આત્મામાં સ્થિર થવાથી જીવ એવા સ્થળે સ્થિત થાય છે કે જ્યાં અન્ય આશ્રયની આવશ્યકતા નથી. આત્મામાં જ સ્વસ્થાન આસન, સ્થિરતા એ મુક્તિનું શિખર છે. એ શિખરે સ્થિત મનુષ્યના આત્માના વૈભવ આગળ ત્રણે લોકનો વૈભવ તુચ્છ છે. પરંતુ આવું સ્થળ કોઈ વિરલા જીવ જ શોધે છે. અને તેમાંથી પણ કોઈ જ જીવ જ એ વૈભવને પામે છે. તે ગુપ્ત કઠણ કે અલભ્ય છે માટે નહિ, પણ જગતના અમૃતધારા ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy