SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશકનો સંયોગ મળે છે ત્યારે તેવા દોષવાળો થાય છે. – તેવી દશામાં તેની શુદ્ધિ થતી નથી ને માર્ગ પામતો નથી. પણ દોષની પુષ્ટિ થઈ વધુ અશુદ્ધ બનતો જાય છે. જ્યારે તેને સાચા ઉપદેશકનો યોગ થાય છે ત્યારે તે જ્ઞાનક્રિયાનો મેળ કરી સાધના કરે છે ત્યારે શુદ્ધ માર્ગને પામે છે. જ્ઞાન અને રાગાદિનો ભેદ કળવો ગહન છે. જ્ઞાન અને રાગનું એકત્વ છતાં જ્ઞાનની મુખ્યતાથી તેનો ભેદ જણાય. સ્તની દૃષ્ટિ થતાં ઉપયોગ શુદ્ધ થાય ત્યારે સ્વસંવેદન આવે. અંતરમુખ થયેલી જ્ઞાનની પર્યાય જ ભેદજ્ઞાનનું કાર્ય કરે છે. [૭૪૩] જગત અનેક વિચિત્રતા અને વિવિધતાથી ભરેલું છે, તેમાંથી પોતે નિરાળો રહે તો ત્યાં શું આકર્ષણ થાય ? જ્ઞાનીને પૂર્વ કર્મયોગે બાહ્ય વૈભવ હોવા છતાં તેમાં સ્વના નિત્યપણાના બોધથી અનિત્યપણાનું ભાન છે તેથી તેમાં રસ આવતો નથી. [૭૪૪] અજ્ઞાનદશાની વિચિત્રતા એ છે કે તે જીવને જ્યારે પૂર્વપુણ્યના ઉદયે સુખ, સમૃદ્ધિ સામગ્રી મળે ત્યારે અજ્ઞાનતાને કારણે તેમાં તે જીવને સુખબુદ્ધિને કારણે તે સર્વ નિત્ય ભાસે છે. તેમાં ક્ષણિકતા હોવા છતાં તેના પરિણામ તે પદાર્થોના રસરુચિરૂપ બને છે. [૭૪૫]. બહિર્મુખ આત્માને શુભાશુભ પરિણામમાં જ્યારે તીવ્રતા આવે છે ત્યાં દર્શનમોહનું બળ વધી જતાં તે અંતર્મુખ થઈ શકતો નથી. ત્યારે કદાચ તે કહેતો હોય, સમજતો હોય કે હું શુદ્ધાત્મા સ્વરૂપ છું તો પણ તેવા ભાવો દર્શનમોહને કારણે વ્યર્થ જાય છે. પરંતુ જે જીવ આવા શુભાશુભ ભાવો પ્રત્યે જાગૃત છે તેનો દર્શનમોહનો વેગ ઘટી જતાં તે જીવ અંતર્મુખતા પામે છે. [૭૪૬] જ્ઞાનીને પૂર્વકર્મના સંયોગે મિત્ર પરિવાર આદિ હોય છે. પરંતુ તેવા સંયોગમાં અનુકૂળતામાં મીઠાશ નથી અને પ્રતિકૂળતામાં કડવાશ નથી. તેમની દૃષ્ટિએ સર્વ જીવો ચૈતન્યમય જણાય છે, એમ તેમની અમૃતધારા ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy