SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટ થાય છે. [૭૩૩] પથ્થરમાં રહેલી ગર્ભિત પ્રતિમાને કારીગર પોતાના જ ટાંકણા વડે ઘડે છે. ત્યારે વચમાં આવતાં બાધક તત્ત્વોને તે ફેંકી દઈ મૂર્તિને પ્રગટ કરે છે તેમ સાધકે જ્યાં સુધી અંતરમાં આત્માનું સંવેદન ન થાય ત્યાં સુધી બહારના શેયો-આકારોની આસક્તિ, માંગણીઓને બાધક ગણી દૂર કરવી જોઈએ, તો તેનામાં રહેલું દિવ્ય સ્વરૂપ પ્રગટ થાય. [૭૩૪] આત્મા અનંતગુણયુક્ત સરળ છે. ગુણની રુચિ હોય તેને સ્વભાવ પ્રત્યે રુચિ થાય કારણ કે સ્વભાવ સ્વયંગણમય છે. બહારમાં કંઈ કરું તે સત્ પુરુષાર્થ નથી, તેને તો હજી સ્વભાવ લક્ષ્યમાં આવ્યો નથી. ભાઈ ! આ પરમાર્થમાર્ગમાં તો અનન્ય રૂચિ | શ્રદ્ધા હોય, તેને સ્વભાવ સિવાય કંઈ રુચે નહીં. જેને આત્માર્થ સાધવો છે તે શુભાશુભ ઉદયમાં ફસાતો નથી. પરંતુ વિચારશીલ થઈ અંતરમાં ઊંડો ઊતરી અંતર શોધનારા સ્વરૂપનો નિર્ણય કરે છે. [૭૩૫] સમ્યગુવિચારધારાનું લક્ષણ સૂક્ષ્મતા અને સ્થિરતા છે. શુદ્ધ સ્વરૂપમાં જોડાતી ધારા સૂક્ષ્મ થવાથી સ્થિર થાય છે, ત્યારે તેને જગતમાં પ્રપંચ, ભૌતિકતાનો મહિમા છૂટી જાય છે તે સાધકને જિનવાણીનો, સદ્ગુરુના બોધનો મહિમા આવે છે. તેથી દોષમય દશાનો ત્યાગ કરી ગુણમય દશાને ગ્રહણ કરે છે. [૭૩૬] શક્તિરૂપે પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય એક સમયની શુદ્ધ પર્યાયમાં પ્રગટે છે. એવી શુદ્ધ પર્યાય પ્રગટ્યા વગર કેવળ રટ્યા કરે કે હું એક સમયની શુદ્ધ પર્યાયથી પણ ભિન્ન છું તેથી શુદ્ધ પર્યાયનું પ્રાગટ્ય યથાર્થ ઠરતું નથી. સ્વરૂપ નિમગ્ન ધ્યાની સંસ્કારના પ્રવાહોમાં ફરતો ન હોય, વ્યાવહારિક પ્રયોજનોમાં વૃત્તિવાળો ન હોય તે તો મહા વૈરાગી અને લોકસંપર્કથી દૂર હોય. [૭૩] અમૃતધારા ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy