SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વચગાળે ઉત્તમ શુભ ભાવ, સવિકલ્પ દશાનો આનંદ પણ મધુર લાગે છે. ત્યાં ભ્રાંતિ પેદા થાય છે કે આ જ શાંતિ – આનંદ છે. તે શાંતિ અને આનંદ શુભ ભાવનાના પ્રકારના છે. તાત્ત્વિક શાંતિ અને આનંદ શુદ્ધાત્માની પરિણતિરૂપ હોય છે, આથી યોગદૃષ્ટિ સમુચ્ચય જેવા ગ્રંથમાં ધર્મસંન્યાસ દર્શાવ્યો છે, અર્થાત્ ક્ષમાદિ ગુણોનો વિકલ્પ પણ ત્યાં છૂટી જાય છે. આ દશા ગુણસ્થાનક શ્રેણિમાં હોય છે. ત્યાં સુધી સાધકને સવિકલ્પ દશા જે તત્ત્વપરિણતિ પ્રત્યે લઈ જનારી હોય તે પણ ઉપકારી છે. આવાં રહસ્યો ગુરુગમે સમજવાં જરૂરી છે. [૬ ૫૯] સ્વનો સ્વાદ લેવાનો હોય “સ્વનો અર્થ કરવાની જરૂર નથી. સાધક સ્વમતિએ કેટલુંયે તપે, કષ્ટ કરે, ઈત્યાદિ અનેક પ્રકારના શુભાશુભ કષ્ટ કરવા છતાં પણ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યગૂજ્ઞાનમય પરમાત્મા, સિદ્ધ પરમેષ્ટિના પ્રત્યક્ષ અનુભવની પરમાવગાઢતા અને અચલતાનો અખંડ લાભ નહિ થાય; પણ સદ્ગુરુ સહજમાં વિના પરિશ્રમે શુભાશુભ કષ્ટ નહિ કરવા છતાં પણ સદાકાળ જ્ઞાનમય જાગતી જ્યોતિનો તન્મયી મેળ કરાવી દે છે. ધન્ય છે તે સદ્દગુરુજનોને. (શ્રી સમ્યગૂજ્ઞાન દીપિકા.) [૬૬] એક આશ્રમમાં સદ્ગુરુની નિશ્રામાં શિષ્યો સાધના કરતા હતા. ત્યાં એક વાર એક પ્રકાંડ વિદ્વાન આવ્યા. આશ્રમના અધિષ્ઠાતા મહાન સંત અનુભવી હતા. તેમણે એક શ્લોક લખ્યો હતો તેમાં એવો મર્મ હતો કે પૂર્ણતા પામતા સુધી પ્રભુની પૂરી કૃપા મળ્યા વગર વિદ્વાને પણ સ્ત્રી-પરિચયથી દૂર રહેવું. કામવાસનાને સંયમમાં રાખવા જાગૃત રહેવું. પેલા વિદ્વાને આ શ્લોક વાંચ્યો. અને સંતને કહ્યું કે તમે આ વિદ્વાન શબ્દ કાઢી નાંખો સામાન્ય સાધક ચલાયમાન થાય વિદ્વાનને કંઈ આંચ ન આવે. [૬ ૬૧] સંત તે વખતે માર્મિક હસ્યા. બેત્રણ દિવસ પછી મુશળધાર અમૃતધારા - ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy