SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યયોગે ધન, સ્ત્રી, કીર્તિ બધું મેળવે છે. છતાં શાંતિ સંતોષ ક્યાં છે? ક્યાં જવું? શું કરવું? તેની તેને ખબર નથી. દોડી દોડીને ક્યાં પહોંચશે તે ખબર નથી. પ્રગતિ વગરની આ ગતિ ક્યાં પહોચાડશે? વળી કેટલાકને ધ્યેયની કંઈક ખબર છે તો તે દિશાનો પ્રયત્ન નથી. કેટલાક પ્રયત્ન કરે છે પણ સાચી દિશા નથી. દિશા સાચી હશે તો સાધન ખોટા હશે. આમ ધ્યેય, પ્રયત્ન, સાધન અને નિશ્ચિત દિશામાં જવા માટે પ્રથમ સાધકને માર્ગદર્શકની જરૂર છે. કેવળ ધ્યેયરહિત યાત્રામાં ભટકવું, એટલે જન્મમરણ કે સ્મશાન અને ગર્ભથી છૂટકારો નહિ થાય. [૫૮૮] એક ઘર બાંધવા માટે તેની સામગ્રી, આયોજન અને સાથે એન્જિનિયરની સલાહ લેવી પડે છે. આ તો પરમાર્થ માર્ગ છે તેમાં વિશેષ પ્રકારે જ્ઞાની-સંત–માર્ગદર્શકની જરૂર રહે છે. જેમના દ્વારા જીવની સમજમાં આવે છે કે આત્મા પોતાથી અભિન્ન છે તે દર્શનીય છે, તે જ આદરણીય છે. ચિંતનીય છે. ધ્યાન કરવા યોગ્ય છે. આ તત્ત્વ સમજાયા પછી દુઃખદ માર્ગે કોણ જાય? આ કાળે અલ્પ અને અનિયત આયુષ્ય મળ્યું છે ત્યાં રોકાવું પરવડે નહિ. તો જ અમૂલ્ય માનવજન્મ સાર્થક થશે. એક જ લગની આત્મા જ જાણવો, શ્રદ્ધવો, ધ્યાવવો. [૫૮૯]. જીવને સંસારમાં અનેક પ્રકારનાં કષ્ટ છતાં સંયમમાં, આત્મરતિમાં જવું કષ્ટદાયક લાગે છે, એટલે ભ્રામક માર્ગમાં અટવાઈ જાય છે. યોગ - આત્મપરિણામ) મૂકી યોગામાં જાય છે. જેમાં દેહની પ્રધાનતા છે. કરોડરજ્જુ સીધી રાખો, ટ્ટાર બેસો, આંખો બંધ રાખો, અમુક ચક્રમાં જુઓ પ્રકાશ દેખાયો માનો આત્મા પ્રભુ મળ્યા. એમ પ્રભુ મળે નહિ અને આત્મા મળે નહિ, પ્રાથમિક ભૂમિકા એ જ અટકી જવાશે. નાચો કૂદો શ્વાસનું ધમણ ચલાવો ચિત્ત શાંત થશે. આત્મા મળી જશે. ભાઈ! આ સર્વે પૌદ્ગલિક પ્રકારો છે. તેમાં આત્મા ક્યાં મળે અમૃતધારા ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy