SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દોડતા દોડતા દોડતા દોડિયો જેતિ મનની રે દોડ જિનેશ્વર, એને પોતાને ખબર પણ નથી કે તે ધર્મ અને કર્મ બંને ક્ષેત્રોમાં દોડ્યા જ કરે છે. જ્યાં ધર્મ છે ત્યાં અંતઃસ્તલમાં ડૂબકી મારતો જ નથી. નવીનવી માન્યતાઓ ઉમેરતો જાય છે. બંધાય છે કે છૂટે છે તેની તેને ખબર નથી. [૩૨] એક સાધકને પૂછ્યું. સાધના કેવી ચાલે છે? અંતર્મુખતાનો અભ્યાસ થાય છે? જ્ઞાનારાધના થાય છે? તેમણે લાંબી યાદી ગણાવી. કેટલી માળા. બીજા કેટલા મંત્ર, સ્તોત્ર, વિધિ વિધાનો પૂરું જ થતું નથી. એમાં અંતર્મુખતાનો અભ્યાસ ક્યાં થાય છે ? બધું બહાર ને બહાર ગણત્રીમાં પૂરું થવું જોઈએ. જ્યાં આત્મા છે, સ્વરૂપ છે, ત્યાં દૃષ્ટિ નથી. આધ્યાત્મિક ગુણ માટે બહાર નહિ પણ અંદર દૃષ્ટિ વધુ હિતાવહ છે. [પ૩૩] વૃક્ષ ફૂલ ફળ પાન શાખા એ સર્વ મૂર્ત દશ્યો છે. એ સર્વનું મૂળ અદશ્ય છે. શરીર, મન, ઇંદ્રિયાદિ દશ્ય છે, તેની પાછળનો સંચાર અદૃશ્ય છે અને અજ્ઞાત પણ છે. સંચારી ચેતના અદશ્ય છે તેથી જીવ દશ્યને પકડીને તેને સત્ય માની લે છે. કોઈ વિરલા જીવ સત્યની શોધ કરે છે, તે દશ્યથી સંતુષ્ટ થતો નથી. [૫૩૪] કોઈ બાળકનું રમકડું તૂટી જાય. તે રડવા લાગે. પ્રૌઢ માણસ તેને સમજાવે કે તે રમકડું હતું, તે તૂટી જાય તેમાં રડવાનું નહિ. પણ એ જ પ્રૌઢ માનવ પોતાને સમજાવી શકે નહિ કે દશ્યજગત રમકડા જેવું છે. આમ માનવ જન્મે ત્યારે બાળ અવસ્થા પ્રૌઢ થાય ત્યારે બાળ અવસ્થા, અને મારે ત્યારે પણ બાળ અવસ્થા/અર્થાત્ અજ્ઞાન. [૩૫] સંસારી જીવ વિશ્વના પદાર્થોને જાણે છે અને રાગાદિ ભાવ કરી વેદે છે, અનુભવે છે. પૂર્ણ જ્ઞાનીને જગતના પદાર્થો જ્ઞાનસ્વભાવમાં જણાય છે ત્યારે પણ પૂર્ણ જ્ઞાની જ્ઞાનસ્વરૂપને વેદે છે, અનુભવે છે. અમૃતધારા ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy