SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પોટલું તો ૫૨ પદાર્થોની સુખબુદ્ધિનું હોય છે, તેથી તે સાચા સુખને અનુભવી શકતો નથી. [૫૨૩] તને સુખી દેખાતા માનવો, રાજા કે સમ્રાટ જંગલમાંથી પસાર થાય ત્યારે તેમની પાસે શું સામગ્રી હોય ? શસ્ત્રો અસ્ત્રો, સૈન્ય, બીજાં અનેકવિધ સાધનો છતાં ભયભીત ! શા માટે ? શું લૂંટાઈ જવાનું છે ? શરીરબળ પર પાછા મુસ્તાક હોય છે. છતાં ભયભીત ! જેની પાસે શરી૨ ૫૨ વસ્ત્ર નથી પાસે શસ્ત્ર કે અસ્ત્ર નથી. સૈન્ય શું કોઈ સામાન્ય પહેરગી૨ પણ નથી છતાં કેવળ નિર્ભય થઈને જંગલમાં વિચરે છે. ક્યા બળ ઉપર ? આત્માની પૂર્ણતાના બળ ઉપર તેઓ સદા નિર્ભય [૫૨૪] છે. બહારમાં તેઓ આડંબર વગરના હોવાથી સંસારી જીવો તેમનો આધાર લેવાને બદલે પેલા ભયભીત જનોનો આધાર લેવામાં સુખ માને છે. આવા ભ્રમને કેમ છોડવો. ભાઈ તને પુણ્યયોગે કોઈ સદ્ગુરુનો ભેટો થાય તો બધી અસત્ કલ્પનાઓને ત્યજી દઈને તેમને છોડતો નહિ. પ્રારંભમાં દેખાતું કષ્ટ પરિણામે સુખદ ફળદાયી નીવડે છે. [૫૨૫] કોઈપણ પરિસ્થિતિમાં આત્મા સ્વભાવથી ત થતો નથી. આવરણ આવે પણ ચ્યુત ન થાય. સચ્ચિદાનંદ સ્વરૂપમાં વિકારનું એક પાસું દુ:ખ રૂપ છે. બીજું પાસું સુખ છે. પ્રેમમાં વિકાસનું એક પાસું રાગ છે. બીજું પાસું દ્વેષ છે. જ્ઞાનમાં વિકારનું એક અજ્ઞાન છે. બીજું પાસું મોહ છે. આ સર્વે વિકારો સ્વરૂપને બાધક છે. માટે સાધકે નિર્વિકા૨ થવા સંયમાદિનો પરિચય વધુ કેળવવો. [૫૨૬] જગતનું સ્વરૂપ સમજી તેના ક્ષણિક ભાવોથી જુદા પડવાનું છે. પછી દેહનું સ્વરૂપ જાણી તે પણ અનિત્ય છે તેનાથી જુદા પડવાનું છે. ઇન્દ્રિયોથી છૂટા પડવા સંયમની ભૂમિકાએ જવાનું છે. તે પછી ભેદજ્ઞાનની ભૂમિકા તૈયાર થયે સર્વથી છૂટા થઈ સાધકે સ્વરૂપમાં અભેદ થવાનું છે. જ્યાં સ્વ-પરનો ભેદ નથી, સુખદુઃખની વ્યાખ્યાનો અમૃતધારા : ૧૪૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy