SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ઉપાદાન અને નિમિત્તની યથાર્થતા જાણે છે અને તે પ્રમાણે જ્ઞાનીઓ બોધ આપે છે. તેમાં ક્યાંય વિરોધાભાસ હોતો નથી. ૪િ૭૪] વળી જ્ઞાનીજનો ઉત્સુત્ર પ્રરૂપણામાં ભવભ્રમણને જાણે છે, તેથી તેમના ઉપદેશમાં આત્મહિતનો જ આશય હોય છે. તેવા જ્ઞાની મહાત્માઓ પ્રત્યે તેના ઉપકાર પરત્વે, તેવા પુષ્ટ નિમિત્ત પ્રત્યે ગુરુજનોની કૃપા દ્વારા અધ્યાત્મતત્ત્વ, પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય છે. માટે તેવા મહાત્માઓ પ્રત્યે અહોભાવ એ માર્ગની પ્રણાલિ છે. ૪િ૭૫), ઉપાદાન નબળું હોય, સ્વઆશ્રિત પુરુષાર્થ હજી સંભવ ન હોય અને ગુરુઆજ્ઞા વિહીન કંઈ પણ અધ્યાત્મ આરાધના કરવા જાય, કે પુષ્ટ અવલંબનો ત્યજી દે તો સ્વચ્છંદતા પોષાય. મત્સર જેવા દોષો આવે. નિશ્ચયાભાસી થઈ માર્ગ ચૂકી જાય. માટે જીવે શાસ્ત્રાનુસારી વ્યવસ્થિત આરાધના સ્વીકારવી જોઈએ. પ્રાથમિક ભૂમિકાએ તો ગુરુઆજ્ઞાને આધીન રહી વિનયપૂર્વક પૂર્ણતાને લક્ષે આરાધના કરવી. પોતાની મતિકલ્પનાને નેવે મૂકવી અને સ્વાર્પણભાવે કાર્ય સિદ્ધિ કરવી. ૪િ૭૬] અવલંબન નબળું હોય અને નાશ કરનારું હોય તો તે અહિતકારી છે. જેમ કુંભારે ચાકડો ફેરવવા લાકડી રાખી તે ઘડો ઘડવાનું બાહ્ય નિમિત્ત છે. તે લાકડી ઘડો ફોડી શકે. સંસારી કોઈ અવલંબન હિતકારી નથી, કે પુષ્ટ નથી જેમ માતાપિતા સ્વચ્છેદી પુત્રને સાધુ મહાત્મા પાસે લઈ જાય. પુત્ર સુધરે પણ ખરો અને દીક્ષા લેવાનું કહે તો માતાપિતા ના પાડે. પુત્રને સુધારવો હતો પણ સંસારમાં રહે તેવો. આમ સંસારી અવલંબનો નબળાં હોય છે. સર્વોત્કૃષ્ટ અવલંબન તીર્થંકર પરમાત્મા છે કેમ કે તેમાં સાધકનું સાધ્ય જે મોક્ષ છે તે વિદ્યમાન છે. તેમના સંપર્કથી, અત્યંત અહોભાવથી તેમના ગુણો સાધકમાં અવતરણ થાય છે. ૪િ૭૭] અંધારામાં શસ્ત્ર-અસ્ત્રના પ્રહાર કરવાથી પ્રકાશ પ્રગટ થતો નથી ૧૩૦ જ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy