SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન મન અને ઇન્દ્રિયો વડે થાય છે. શ્રુતજ્ઞાન મનનો વિષય બને છે. ચિંતન મનન વડે ભાવસૃત વડે અનુભવજ્ઞાન થાય છે. તેનો ઉપાય ધ્યાન છે. શ્રત વડે જણેલા પદાર્થોને અનુભવગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી સવિશેષ નવકાર-પંચપરમેષ્ઠીપૂરી પાડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર-નવપદ પૂરી પાડે છે. જ્ઞાનવડે થયેલો બોધ તે ધ્યાન વડે વિશેષ પરિણત થાય છે. પ્રત્યક્ષ અનુભવ બને છે. શ્રી નવકાર ભાવમંગળ છે. ભાવમંગળ આત્મપરિણામરૂપ છે. દ્રવ્ય નમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયા વડે થાય છે. તેના સમન્વયથી ભાવનમસ્કાર અંતરાત્મામાં પ્રગટ થાય છે. જ્ઞાન વિષયાકાર થઈ (આત્મા) શેયને જણાવે છે. ૪િ૩] સામાયિક એટલે સર્વ જીવો આત્માતુલ્ય છે તેવી સાધનાનો અભ્યાસ. શ્રી નવકાર એટલે પરમાત્માતુલ્ય પોતાના આત્માની સાધનાનો અભ્યાસ, સામાયિક ધર્મજીવન જીવવાનો અભ્યાસ છે. ધ્યાનમાં નવકારની મુખ્યતા છે. શ્રી નવકાર એ નિશ્ચય રત્નત્રયનું પ્રતીક છે. નવકાર દુન્યવી લોભનો વિપક્ષી છે, શત્રુ છે અને મુક્તિ સુખનો લોભ જીવમાં જગાડે છે. ૪િ૪૪] નમસ્કારમંત્રમાં અત્યંત સામર્થ્ય છે કારણ કે તે નમસ્કાર જેને કરવામાં આવે છે તે દેવગુરુમાં એવું સામર્થ્ય છે. દેવે તે દેવ એ અરિહંત અને સિદ્ધ, તે આત્માનું શુદ્ધ સ્વરૂપ પમાડનાર છે. દિખાવે તે ગુરુ તે આપણા આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાડનાર છે. એટલે દેવગુરુને નમસ્કાર એ મૃત સાગરને પાર પામવાનો ઉપાય છે. સંસારી આત્મા આઠ કર્મથી આવરાયેલો છે, તેની નીચે સ્વમાં જે શુદ્ધ સ્વરૂપ રહેલું છે તે અરિહંત અને સિદ્ધ સમાન છે. આવો બોધ નમસ્કારમંત્ર આપે છે. મંત્રનો જાપ હૃદયમાંથી દૂષિત ભાવનાઓને બહાર કાઢીને અંતઃકરણને શુદ્ધ કરે છે. વળી મંત્રજાપ વડે ગરમી વધવાથી મસ્તિષ્કની ગુખ સમૃદ્ધિનો કોષ ખૂલી જાય છે. તેથી ઉત્તમ કાર્યો સિદ્ધ થાય અમૃતધારા * ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy