SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આ મૂળ સંસ્કારનું પ્રકાશિત થવું અને નિયંત્રિત થવું બંને જરૂરી છે. જેમાં વિવેકની મુખ્યતા પણ જરૂરી છે. [૪૩૫] આ સંસ્કારોના નિયંત્રણ માટે કેટલાક ઉપાયો છે. જ્ઞાનાર્ણવમાં આચાર્યશ્રીએ જણાવ્યું છે કે મહામંગલવાક્યોનું જીવનમાં અવતરણ કરવું. તેના વડે આત્મશક્તિ પ્રકાશિત થઈ આહાર, ભય, નિદ્રા, પરિગ્રહ જેવી સંજ્ઞાઓ/સંસ્કારો સહેલાઈથી પરિષ્કૃત બને છે. નબળા બને [૪૬] છે. વળી સમસ્ત કલ્પના જાળને દૂર કરીને પોતાના ચૈતન્ય અને આનંદમય સ્વરૂપમાં લીન રહેવું તે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિનું સ્થાન છે. “હું નિત્ય આનંદમય છું. હું શુદ્ધ છું” અદ્વિતીય છું. ઉત્પાદ, વ્યય ધ્રૌવ્ય સહિત સત્ છું' આવાં મંગળ વાક્યો દ્વારા વ્યર્થવિકલ્પોથી વ્યક્તિ પોતાની રક્ષા કરે છે. પવિત્ર વિચાર અથવા ધ્યાનમાં લીન રાખે છે. અશુભ ધ્યાનથી દૂર રાખે છે. [૪૩૭] શ્રી નમસ્કારમહામંત્રનું સ્મરણ પણ એ માટે મહાન ઉપાય છે. મનુષ્યનું મન નિરર્થક રહેતું નથી. તેને મંગલવાક્યો કે સ્મરણ વડે ભરપૂર રાખવું. મનની નિરંતર ચાલતી ક્રિયા ૫૨ એ વડે શુભ પ્રભાવ પડતો રહેશે. [૪૩૮] ત્રૈલોક્યદીપક - મંત્રાધિરા નમસ્કાર મહામંત્ર વડે વ્યક્તિ પોતાના મનને પ્રભાવિત કરી સ્થાયી ભાવના સંસ્કારને દ્રઢ કરે છે. જેથી અનેક વાસનાઓ શમી જાય છે. જેમને જપનો અનુભવ નથી તેઓ ચારિત્ર્યને નિરર્થક અને યાંત્રિક માને છે. તેથી તેઓ તે વિષે કટાક્ષ કરે છે. શું વ્યક્તિનો સઘળો સમય પોતાની ધારણાપૂર્વકનો કે સુયુક્તિપૂર્ણ વિચારધારામાં જાય છે ? મોટા ભાગના મનુષ્યોને ઘણો સમય નિરર્થક અને કઢંગા વિચારોમાં પસાર થાય છે વાતા૨વરણ અને સંયોગોની અસર પણ હોય છે. આવા અનિયંત્રિત અને નિરર્થક સંસ્કારો, વિચારોના પ્રવાહ Jain Education International અમૃતધારા * ૧૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy