SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલ આત્મા પરિણામ વિશેષ વ્યાપારને યોગ કહે છે. વાસ્તવિક યોગ તે મોક્ષમાર્ગમાં જોડતા પરિણામ વિશેષ તે યોગ છે. [૪૩૨] તૃષા તથા સુધાને શમાવવાની અને પ્રાણને ટકાવવાની તાકાત જ્યાં સુધી જળમાં અને પવનમાં રહેલી છે. ત્યાં સુધી તેની ઉપયોગિતા તથા નિત્ય નૂતનતા માનવીના મનમાં ટકી રહે છે. નામ, મંત્ર, જાપ પણ આત્માની ક્ષુધા તૃષાને શમાવનાર છે અને આત્માના બળવીર્યને વધારનાર છે, તેથી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા સ્વયં મંત્ર જયનારને અનુભવાય છે. તે કેવી રીતે એ પ્રશ્ન અસ્થાને છે. કેટલાક પ્રત્યુત્તર બુદ્ધિથી કે બુદ્ધિને આપી શકાય તેવા નથી. હૃદયની વાત હૃદય જ જાણી શકે. શ્રદ્ધાની વાત શ્રદ્ધા જ સમજી શકે. ૪િ૩૩] પરમાત્મતત્ત્વ અને તેની શક્તિને ન માનનારને મન પોતાનો “અહં' એ જ પરમાત્માનું સ્થાન લે છે, એ દોષ સર્વ સમર્થનું શરણ લીધા વિના કદી ટળતો નથી, અહં ટળતો નથી ત્યાં સુધી જીવને શાંતિનો અનુભવ આકાશકુસુમવત્ છે તો પછી આત્મઅનુભવ તો ક્યાંથી થાય? ૪િ૩૪] પ્રાણીમાત્રમાં જૂના-મૂળસંસ્કારનું બળ હોય છે. મનુષ્ય વિવેક વડે તે સમુચિત પરિવર્તન કરી શકે છે. આ મૂળ સંસ્કાર પર નિયંત્રણ રાખવામાં નથી આવતું તો તે મનુષ્ય માટે હાનિકારક બને છે. માટે નિયંત્રણ-દમનની ક્રિયા હોવી જરૂરી છે. દમન એ હાનિકારક ક્રિયા નથી પણ ઉચિત સમયે તે જરૂરી છે. જેમકે સંગ્રહની વૃત્તિ માનવમાં જો વિવેકપૂર્વકની નિયંત્રણવાળી હોય તો લાભ કરે છે, નહિ તો તે માનવમાં કૃપણતા કે ચોરી કરવા જેવા દોષો ધારણ થાય છે. તે જ પ્રમાણે લડવાનું બળ માનવને પ્રાણ રક્ષણ માટે જરૂરી છે. પણ જો તે અનિયંત્રિત બને તો રક્ષણ ને બદલે વિનાશનું કારણ બને છે. તે જ પ્રમાણે અન્ય સંસ્કારો માટે વિચારવું. અર્થાત્ માનવ માટે ૧૧૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy